Business

સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર, નવા વર્ષથી વ્યાજ દરમાં 0.20નો વધારો

નવી દિલ્હી: નાની બચત યોજનાઓને લઈને સારા સમાચાર આવ્યા છે. સરકારે (Goverment) શુક્રવારે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) અને ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝીટ પરના વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી, રોકાણકારોને આ યોજનાઓમાં પહેલા કરતા વધુ વળતર મળશે. જો કે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અન્ય તમામ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો પહેલાની જેમ જ યથાવત રહેશે.

જો કે પહેલા સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર આઠ ટકા હતો પરંતુ 0.20ના વ્યાજદરના વધારા સાથે તે હવે 8.2 ટકા થઈ ગયો છે. તેમજ ત્રણ વર્ષની પાકતી મુદત વધારીને 7.1 કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ના વ્યાજમાં કોઈ ફેરફાર થયો નથી.

મળતી માહિતી અનુસાર, સરકારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટ્સ અને ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જ્યારે અન્ય તમામ નાની બચત યોજનાઓ માટે દરો યથાવત રાખ્યા છે. નાણા મંત્રાલયના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પર લાગુ વ્યાજ દર હવે વર્તમાન 8 ટકાથી વધીને 8.2 ટકા થશે. એ જ રીતે, 3 વર્ષની ફિક્સ ડિપોઝિટ, જેનો વ્યાજ દર હાલમાં 7 ટકા છે, તે વધારીને 7.1 ટકા કરવામાં આવ્યો છે.

જો કે, સરકારે કહ્યું છે કે લોકપ્રિય રોકાણ સાધન PPF પર વ્યાજ દર 7.1 ટકા રહેશે અને સેવિંગ્સ ડિપોજિટ પર માત્ર 4 ટકા રહેશે. ડિસેમ્બર ક્વાર્ટર માટે જે વ્યાજ દરો લાગુ હતા તે આ બંને સાધનો માટે પણ લાગુ રહેશે. તેવી જ રીતે, કિસાન વિકાસ પત્ર પર લાગુ વ્યાજ દર પણ 7.5 ટકા હશે અને તે 115 મહિનામાં પરિપક્વ થશે. 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2024 સુધી નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર 7.7 ટકાનો વર્તમાન દર પણ લાગુ થશે.

Most Popular

To Top