SURAT

કોરોના એલર્ટ: ગુજરાત સરકાર લગ્ન પ્રસંગો માટે નવી ગાઈડલાઈન જાહેર કરે તેવી શક્યતા

ગાંધીનગર: હાલ સમગ્ર વિશ્વમાં કોરોના (Corona) વાયરસે (Virus) હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આ પરિસ્થિતિને લઈને ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે (Indian Health Department) તમામ રાજયોને પત્ર લખીને જાણ કરી છે અને કોરોના અંગે એલર્ટ (Alert) રહેવા માટે સૂચના આપી છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે ગમે ત્યારે વધ્યાં સરકાર ફરી એકવાર કોરોના ગાઇડલાઇન (Guideline) બહાર પાડે તેવી નવાઈ શક્યતાઓ છે.

  • ગુજરાત સરકાર કોરોનાનો સામનો કરવા સજ્જ થઈ
  • ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના બે કેસ સામે આવ્યા
  • સરકાર ફરીથી નવી ગાઈડલાઈન જાહેર કરે તેવી શક્યતા

હાલ ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસના નવા વેરિયન્ટના બે કેસ સામે આવ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોનાને પહોંચી વળવા માટે સજ્જ થઈ ગઈ છે. આ ઉપરાંત બીજી અને ત્રીજી લહેરમાં જે કોરોના ગાઇડલાઇન બહાર પાડી હતી અને નિયંત્રણ મૂક્યાં હતા. તેવાં જ નિયંત્રણ (Ban) ફરીથી મૂક્વામાં આવે તેવી શક્યતા છે.

કમૂરતાં પૂરા થતાં જ ફરીથી લગ્નસરાની સિઝન (Wedding Season) ચાલુ થશે. ગુજરાતમાં આ કોરોના વાયરસના તમામ નિયંત્રણો દૂર થયેલા હોવાથી મોટા પ્રમાણમાં લોકોએ લગ્ન ગોઠવ્યા હતા. તેથી જે આગામી સમયમાં તમારા ઘરમાં લગ્ન હોય તો થોડી રાહ જોજો. કારણ કે, જો કોરોનાના કેસ વધે તો સરકાર ફરીથી ગાઈડલાઇન જાહેર કરે તેવી શક્યતા છે.

કોરોના ગાઈડલાઈનની વાત કરવામાં આવે તો, બીજી લહેર વખતે સરકારે માત્ર 100 જેટલાં મહેમાનોને લગ્ન સમારંભમાં આમંત્રણ આપવાની છૂટ આપી હતી. ત્યારબાદ લગ્ન સ્થળની કેપેસિટી કરતાં 50 ટકા લોકોને જ આવવાની છૂટ આપવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળશે તો સરકાર આવા જ નિયંત્રણો સાથે ગાઇડલાઇન બહાર પાડે તેવી શક્યતા છે. ત્યારે જે ઘરમાં લગ્નનું આયોજન કરવામાં આવશે તેમાં ઘણી અડચણો ઊભી થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ચીનથી આવેલો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ (Corona Positive) આવતાં ખળભળાટ મચી ગયો છે. હાલ ચીન બાદ અનેક દેશોમાં કોરોનાને લીધે સ્થિતિ વણસી રહી છે. ગુજરાતમાં પણ પગલાંરૂપે તૈયારીઓના આદેશ અપાયા છે. ત્યારે ગુજરાતમાં ચીનથી આવેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી વિવિધ ધમધમાટ શરૂ કર્યો છે.

Most Popular

To Top