Gujarat

ચોમાસાનો પહેલો સ્પેલ ગુજરાતને ફળ્યો, મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 68.03 ટકા જળસંગ્રહ

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) હવે ચોમાસાની (Monsoon) મોસમનો ત્રીજો રાઉન્ડ શરૂ થી ગયો છે ત્યારે સારા વરસાદને (Rain) પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૦૪ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં ૬૮.૦૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૬૬,૦૨૪ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૯.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ કંન્ટ્રોલ સેલના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૪૦,૯૫૮ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૬૧.૦૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

  • રાજ્યના ૩૩ જળાશયો ૧૦૦ ટકાથી વધુ અને ૪૮ જળાશયો ૭૦ ટકાથી ૧૦૦ ટકા જેટલાં ભરાયાં
  • સરદાર સરોવર પરિયોજનામાં ૭૯.૬૩ ટકા જળસંગ્રહ થયો


રાજ્યમાં ૩૩ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૮ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૩૫ જળાશયો (સરદાર સરોવર સહિત) માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૩૮ જળાશયોમાં ૨૫ ટકા થી ૫૦ ટકાની વચ્ચે, ૫૨ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩૩ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૨૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૦ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૭ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Most Popular

To Top