Gujarat

ગુજરાત સરકાર અયોધ્યામાં બનાવશે યાત્રી નિવાસ, આટલા કરોડ ફાળવ્યા

ગાંધીનગર: પ્રભુ શ્રી રામની જન્મભૂમિમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. ગઈ તા. 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. ત્યાર બાદથી અયોધ્યામાં ભક્તોનો જમાવડો લાગ્યો છે. રોજ લાખોની સંખ્યામાં ભક્તો પ્રભુના દર્શન માટે અયોધ્યા જઈ રહ્યાં છે. આગામી દિવસોમાં અયોધ્યામાં ભક્તોની અવરજવર વધે તેવી સંભાવના છે, ત્યારે અયોધ્યામાં ભક્તોના રહેવા, જમવાની સુવિધાની મોટી જરૂરિયાતો ઉભી થઈ છે.

ગુજરાતમાંથી પણ દર મહિને મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા જઈ રહ્યાં હોય ગુજરાત સરકારે અયોધ્યામાં ગુજરાતીઓ માટે યાત્રી નિવાસ બનાવવાની યોજના બનાવી છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં મોટી જાહેરાત કરી છે. અયોધ્યામાં યાત્રી નિવાસ માટે નાણામંત્રીએ 50 કરોડ પૈકી આ બજેટમાં 10 કરોડની જોગવાઈ કરી છે. પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા સરકારેકુલ ૨૦૯૮ કરોડની જોગવાઇ કરી છે. જાણો પ્રવાસન માટે શું જાહેરાતો કરાઈ છે.

  • આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ ૨૦૦ કરોડના કામ પ્રગતિ હેઠળ.
  • સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે૨૦૦ કરોડના આયોજન પૈકી ૩૦ કરોડની જોગવાઇ.
  • નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે ૧૪૫ કરોડના આયોજન પૈકી ૪૦ કરોડની જોગવાઇ.
  • અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે૧૭૦ કરોડના આયોજન પૈકી ૪૫ કરોડની જોગવાઇ.
  • અયોધ્યાધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે ૫૦ કરોડના આયોજન પૈકી ૧૦ કરોડની જોગવાઇ. • જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે૧૦૦ કરોડના આયોજન પૈકી ૩૦ કરોડની જોગવાઇ. • જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્ક્લ્પચર, સ્કાય વોકના વિકાસ માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી ૮૦ કરોડની જોગવાઇ.
  • ભારત સરકારની પહેલ "ટ્રાવેલ ફોર લાઇફ" ના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા, MICE (Meeting, Incentive, Conference, Exhibition) પ્રવાસન તેમજ સસ્ટેનેબલ ટુરિઝમ વિશે જાગૃતિ લાવવા૧૫ કરોડની જોગવાઇ.
  • જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી૩૫ કરોડની જોગવાઇ.
  • ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી માટે ૪૮૦ કરોડનું આયોજન. તે પૈકી૧૦૦ કરોડની જોગવાઇ.
  • પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ ૧ર૧ કરોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થયેલ છે. ત્રીજા અને ચોથા તબકકામાં કુલર૩૮ કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન.
  • અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ ૧૧૭ કરોડના ખર્ચે આયોજન.
  • શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે ૭૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન.
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા ૪૬ કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન.
  • વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે૭૯ કરોડની જોગવાઈ.
  • ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે `૨૫ કરોડની જોગવાઇ.
  • નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે એર કનેક્ટિવિટીના ધ્યેય સાથે રાજ્ય સરકારની Viability Gap Funding યોજના હેઠળ ₹૪૫ કરોડની જોગવાઈ.
  • ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક”ના વિઝન અંતર્ગત ચલાવાતી Regional connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા અન્ય રાજ્યો સાથે જોડવા માટે ₹૪૦ કરોડની જોગવાઈ.
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે ૧૫૦ કરોડની જોગવાઈ.
  • એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે૩૦૦ કરોડની જોગવાઈ.
  • સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતા નગરના પ્રોજેક્ટ માટે `૨૫ કરોડની જોગવાઈ.
  • એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન.

Most Popular

To Top