SURAT

કોરોનાની મહામારી અને સરકારી પ્રતિબંધો વચ્ચે ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહશે

સુરત: (Surat) શહેરમાં આમ તો ઉત્તરાયણના તહેવારને લઈ અનેક સરકારી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ ડ્રોનની મદદથી ટેરેસ પર નજર રાખવામાં આવશે. ત્યારે આ બધા વચ્ચે સુરતીઓ માટે સારા સમાચાર એ છે કે 14 અને 15 જાન્યુવારીના રોજ પવનની સરેરાશ ઝડપ 8-10 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. સવાર અને સાંજના સમયે 10-12 કિલોમીટરની ઝડપે રહેવાનો અનુમાન છે, પવનની (Wind) દિશા ઉત્તર-પૂર્વ રહેશે .શહેરમાં પતંગ (Kite) ઉડાડવા માટે ઉતરાયણ (Uttarayan) અને વાસીઉતરાયણના દિવસે આદર્શ પવનની ગતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

ઉતરાણ પર્વ પર સુરતીલાલાઓને સૌથી વધારે ચિંતા પતંગ ઉડાવવા માટે પવનની ગતિની હોય છે. ત્યારે હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણે પવનની સવાર-સાંજ ઝડપ 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે બપોરે 8 થી 10 કિલોમીટર પ્રતિ કલાક હોવાની આગાહી કરતા પતંગ પતંગબાજોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે કોરોના કાળમાં સરકારના અનેક પ્રતિબંધો વચ્ચે જ્યારે પવન દેવ પ્રસન્ન રહેશે ત્યારે સુરતીઓનો ઉત્સાહ જોવા જેવો રહેશે. બીજી તરફ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ગાત્રો થીજાવતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી આગાહી કરવામા આવી છે.

કોરોનાના પ્રતિબંધો વચ્ચે ઉત્તરાયણમાં પતંગરસિકો માટે પવનની સારૂ ગતિ રહેવાના સારા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, પવનની દિશા ઉત્તર પૂર્વ તરફથી પવન વહેતો રહેશે. મહત્વનુ છે કે, ઉત્તરાયણમાં પણ આ વર્ષે સારો પવન હોવાથી પતંગરસિકોમાં ખુશીનો માહોલ જોવા મળશે.

રાતનું તાપમાન ગગડીને 17 ડિગ્રી નજીક પહોંચ્યું
શહેરમાં વિતેલા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 6 ડિગ્રી ગગડી આજે 17.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ સાથે જ આજે શહેરમાં વહેલી સવારે પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફૂંકાતા શહેરીજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. શહેરમાં આગામી બે-ત્રણ દિવસ જો ઉત્તરનો પવન ફૂંકાતો રહેશે તો તાપમાનનો પારો હજી એક થી બે ડિગ્રી ઘટે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. એટલે કે ઉત્તરાયણના દિવસે પણ લોકોને ઝડપી પવનો સાથે ઠંડીનો અહેસાસ થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top