Business

કેમ G-20 સમિટ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવશે નહીં?

નવી દિલ્હી: રશિયાના (Russia) રાષ્ટ્રપતિ (President) વ્લાદિમીર પુતિન (Putin) સપ્ટેમ્બરમાં ભારતમાં (India) યોજાનારી G20 સમિટમાં (G20 Summit) ભાગ લેશે નહીં. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પુષ્ટિ કરી છે કે પુતિન ભારત નહીં આવે. તેમજ તેમણે કહ્યું છે કે પ્લેન ક્રેશમાં યેવજેની પ્રિગોઝિનના મૃત્યુમાં ક્રેમલિનની સંડોવણીના આરોપો તદ્દન ખોટા છે. પેસ્કોવ કહે છે કે પશ્ચિમી દેશો કહે છે કે પ્રિગોઝિનના મૃત્યુ પાછળ ક્રેમલિનનો હાથ છે, તે સંપૂર્ણ જૂઠ છે.

23 ઓગસ્ટના રોજ રશિયાથી સમાચાર આવ્યા કે વેગનર આર્મી ચીફ યેવજેની પ્રિગોઝિનનું પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન ક્રેશ મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં પ્રિગોઝિન સહિત 10 લોકોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રિગોઝિન એ જ વેગનર સેનાના વડા હતા, જેણે જૂનમાં રશિયન સૈન્ય સામે બળવો કર્યો હતો. ખાસ વાત એ છે કે પ્રિગોઝિન એક સમયે પુતિનના નજીકના નેતાઓમાંના એક માનવામાં આવતા હતા. યેવજેની પ્રિગોઝિન પુતિનના રસોઈયા તરીકે જાણીતા હતા.

યેવજેની પ્રિગોઝિને બે મહિના અગાઉ એટલે કે જૂનના અંતમાં રશિયન સેના સામે બળવાની જાહેરાત કરી હતી, જેમાં તેણે દક્ષિણના શહેર રોસ્ટોવ પર કબજો કર્યા પછી મોસ્કોની જેમ કૂચ કરવાની જાહેરાત કરી હતી. જો કે, બેલારુસના રાષ્ટ્રપતિ, એલેક્ઝાંડર લુકાશેન્કોએ કોઈક રીતે પ્રિગોઝિન અને વ્લાદિમીર પુટિન વચ્ચે કરાર કર્યો. પરંતુ પ્રિગોઝિન વિશેની આશંકાઓ અને કટોકટી વધવા માટે બંધાયેલા હતા. અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)ને પણ પ્રિગોઝિનની હત્યાનો ડર હતો. આવી સ્થિતિમાં પ્રિગોઝિનના મોત પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું હતું કે તેઓ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અકસ્માતની સત્તાવાર તપાસના પરિણામની રાહ જોવી જરૂરી છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હતા. પુતિને કહ્યું કે તપાસમાં થોડો સમય લાગશે.

રોયટર્સે તેના અહેવાલમાં બે અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે અમેરિકાનું માનવું છે કે રશિયાની અંદરથી છોડવામાં આવેલી સપાટીથી હવામાં પ્રહાર કરવામાં આવેલી મિસાઈલે વિમાનને તોડી પાડ્યું છે. જો કે તેમણે કહ્યું કે આ માહિતી પ્રાથમિક છે અને વધુ તપાસ હજુ ચાલુ છે.

ભારતમાં યો઼જાનારી G20 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ આ કારણસર આવશે નહીં

ગુજરાતમિત્ર #G20 #Summit #India #Russia #President #Putin

Most Popular

To Top