National

પંજાબમાં કોંગ્રેસને મોટો ફટકો: પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડનું રાજીનામું

પંજાબ: પંજાબ(Punjab) કોંગ્રેસ(Congress)ના દિગ્ગજ નેતા(Leader) અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડે(Sunil Jhakhar) શનિવારે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું હતું. તેઓએ ફેસબુક(Facebook) લાઈવ(Live) કરી રાજીનામા(Resign)ની કરી જાહેરાત હતી. સુનીલ જાખરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજુનામું આપ્યા બાદ સલાહ આપી કે આ રીતે ચિંતન શિબિર યોજીને કંઈ થશે નહીં. તેમણે પોતાનું દર્દ વ્યક્ત કરતાં કહ્યું કે જેમણે કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે તેમને નોટિસ ફટકારવી જોઈતી હતી. ઉલ્લેખનીય છે કે જાખડ પંજાબ કોંગ્રેસના મજબૂત નેતાઓમાનાં એક નેતા હતા અને એક સમયે તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર પણ હતા.

કોંગ્રેસની નેતાગીરી ગુંડાઓથી ઘેરાયેલી: જાખડ
જાખડે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની નેતાગીરી ગુંડાઓથી ઘેરાયેલી છે. કોંગ્રેસમાં નીચી માનસિકતા ધરાવતા લોકો ઉચ્ચ હોદ્દા પર બેઠા છે. આના કારણે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસના ચિંતન શિબિર પર જાખરે કહ્યું કે મને કોંગ્રેસની હાલત પર અફસોસ છે. આ ચિંતન શિબિર માત્ર એક ઔપચારિકતા છે, તેનાથી વધુ કંઈ નથી. આ દરમિયાન જાખડ પાર્ટીના નેતા અંબિકા સોની પર ખૂબ જ કડક હતા. તેમણે કહ્યું કે સોનીએ હિન્દુઓને બદનામ કર્યા. તેમણે કહ્યું કે હિન્દુને સીએમ ન બનાવવો જોઈએ.

કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે કારણ બતાવો નોટિસ આપી હતી
કોંગ્રેસે પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ સુનીલ જાખડને “અનુશાસન” માટે પક્ષના તમામ હોદ્દા પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો અને ત્યારથી જ જાખડ નારાજ હતા. જેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી બળવાખોર વલણ અપનાવી રહ્યા હતા. જેથી કોંગ્રેસ શિસ્ત સમિતિએ 11 એપ્રિલે જાખડને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. તેમજ તેઓને તેમને એક અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું હતું, પરંતુ તેમણે જવાબ ન આપવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે તેઓએ કહ્યું હતું કે જેઓ હજુ પણ અંતરાત્મા ધરાવે છે તેમને સજા કરવામાં આવશે.

જાખડે ચન્નીની ટીકા કરી હતી
જાખરે પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્નીની પણ ટીકા કરી હતી અને રાજ્યમાં AAPની હાર બાદ તેમને કોંગ્રેસ માટે બોજ ગણાવ્યા હતા. ગયા વર્ષે અમરિન્દર સિંહના અચાનક ખસી ગયા બાદ જાખરે અગાઉ દાવો કર્યો હતો કે પંજાબના 42 ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે અને માત્ર બે જ ચન્નીના સમર્થનમાં હતા. અમરિન્દરની પીછેહઠ પછી જાખર સીએમ પદની રેસમાં મોખરે હતા, જોકે તેમનું હિન્દુ હોવું તેમની વિરુદ્ધ ગયું હતું. જાખડના સીએમ બનવાની સંભાવના ત્યારે સમાપ્ત થઈ ગઈ જ્યારે પાર્ટીના નેતા અંબિકા સોનીએ કહ્યું કે કોંગ્રેસે શીખ ચહેરા સાથે જવું જોઈએ.

Most Popular

To Top