Gujarat

ભાવનગરના સિહોરમાં લગ્નપ્રસંગમાં છાશ પીધા બાદ 200 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

ભાવનગર: ગરમીના કારણે ફૂડ પોઇઝનિંગના (food poisoning) કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ભાવનગરના (Bhavnagar) સિહોરમાં (Sihor) લગ્નમાં છાશ પીધા બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. રવિવારે લગ્નમાં જમણવાર બાદ છાશ રાખવામાં આવી હતી. જેને પીધા 200થી વધુ મહેમાનોની તબીયત લથડી હતી. સારવાર માટે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 200થી વધુથી વધુ દર્દીઓ દાખલ થતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું.

ભાવનગરમાં રવિવારે ત્રણ અલગ અલગ પ્રસંગો હોવાથી ત્રણેય જગ્યાએ છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સિહોરના લીલીપીર વિસ્તારમાં એક લગ્નમાં જમણવાર બાદ મહેમાનોએ છાશ પીધા બાદ ઝાડા ઉલટી શરૂ થઈ ગઈ હતી. અને 200થી વધુ લોકોની તબિયત બગડી ગઈ હતી. ત્યાર બાદ સારવાર માટે તમામને સિહોરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાત સુધીમાં સિહોરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ હતી. આરોગ્ય તંત્રને ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. ફૂડ પોઇઝનિંગની અસર સૌથી વધુ નાના બાળકો પર જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે સિહોરમાં લગ્ન પ્રસંદ દરમિયાન જ્યાંથી છાશ મંગાવવામાં આવી હતી તે એક હોલસેલનો વેપારી છે. જે ભાવનગરમાં ફેમસ મુનિ પેંડાવાળા હોવાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગ હોવાથી હોલસેલ ભાવે છાશ મંગાવવામાં આવી હતી જે પીધા બાદ લોકોની તબિયત લથડી હતી. નોંધનીય છે કે અન્ય લોકો પણ ત્યાંથી છાશ લઈ ગયા હતો તે લોકોને પણ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી.

બીલીમોરાના દેવસર ગામે લગ્નમાં જમ્યા બાદ 31 લોકોને ફૂડ પોઇઝનિંગ
બીલીમોરા, નવસારી: (Navsari) બીલીમોરા નજીકના દેવસર ગામે શનિવારે રાત્રે લગ્ન (Marriage) પ્રસંગમાં જમ્યા બાદ રવિવારે સવારે 31 વ્યક્તિને ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) થતા દોડાદોડી મચી ગઈ હતી. 31 પૈકી 5 જણાને હોસ્પિટલ ખસેડવાની નોબત આવતા જિલ્લા આરોગ્ય વિભાગે ગામમાં સર્વેની (Survey) કામગીરી હાથ ધરી હતી. લગ્ન પ્રસંગમાં પીરસાયેલી મેંગો ડીલાઈટ નામની વાનગીને (Food) કારણે આ સમસ્યા થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

  • બીલીમોરા નજીકના દેવસર ગામે માહ્યાવંશી મહોલ્લમાં કન્યાના ગામના જ યુવક સાથે લગ્ન લેવાયા હતા
  • જાનને જમાડી હતી, જેમાં મેંગો ડીલાઈટ નામની વાનગી ખાવાને કરાણે તબીયત બગડી હોવાનું અનુમાન
  • જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દેવસર પહોંચી પાણી અને અન્ય ભોજન સામગ્રીના સેમ્પલો લઈ તપાસ માટે લેબમાં મોકલ્યા
  • 31 પૈકી 5 જણાને હોસ્પિટલ ખસેડવાની નોબત આવતા જિલ્લા આરોગ્ય વિભાગે ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી

ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું જેવા દેવસર ગામે માહ્યાવંશી મોહલ્લામાં રહેતા દીપક ભગુભાઈ પટેલની પુત્રીના લગ્ન ગામમાં જ નક્કી થયા હતા. જાન ગામમાંથી જ આવી હતી. આનંદ ઉલ્લાસના વાતાવરણ વચ્ચે શનિવારે રાત્રે લગ્ન પ્રસંગમાં ભેગા થયેલા લોકોએ દાળ, ભાત, મિક્સ વેજીટેબલ, ભીડા ફ્રાય, પનીર લીફાફા, પુરી, રોટલી, સલાડ પાપડ સાથે મેંગો ડીલાઈટ નામની સ્વીટ ડીશ પીરસવામાં આવી હતી. ગામના લોકોએ જમવાની મજા માણીએ મોડી રાત્રે ઘરે ગયા હતા. જેમાંથી 31 જણાને ઝાડા-ઊલટી ફૂડ પોઇઝનિંગની અસર થતાં હાહાકાર મચી ગયો હતો. ગંભીર રીતે અસર પામેલા 5 જણાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top