Charchapatra

આ બધાયે હિંદુ હતા, એ તમે જાણો છો?

છેલ્લા એકાદ મહિનાથી ‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ આવ્યા બાદ કશ્મીરી પંડિતોના પલાયન માટે સમગ્ર દેશના મુસ્લિમો જવાબદાર હોય એવો આક્રમક માહોલ સત્તાધારી પક્ષે ઊભો કર્યો છે. પરંતુ વિચાર માંગી લેતી બાબત એ છે કે  કશ્મીર સિવાય અન્યત્ર હિંદુઓ ઉપર અત્યાચારો થયા જ નથી? ઘણી બાબતો વિચારવા જેવી છે જેમકે (૧) ભારતમાં મોટાભાગની કો.ઓ. બેન્કો ડૂબાડી હજારો લોકોની જીંદગી તબાહ કરનારાઓ હિંદુઓ જ છે અને બેંકો સાથે ઘોખાદારી કરી વિદેશ ભાગી જનારા પણ હિંદુ જ છે. (૨) લાંચરૂશ્વત માંગતા અને લેતા પકડાનારા ૧૦૦ ટકા સરકારી અધિકારીઓ હિંદુ જ છે. (૩) સગીર નાસમજ બાળકીઓ ઉપર બળાત્કાર કરી નિર્દયી રીતે હત્યા કરી સજા પામનારાઓ (અપરાધી) ૧૦૦ ટકા હિંદુઓ જ છે

(૪) સુરતના કોટ વિસ્તારમાં જર્જરિત થયેલા મકાનોમાં રહેતા ગરીબ લાચાર હિંદુઓના મકાનો રાજકીય વગનો ઉપયોગ કરી ‘મફત’ના ભાવે પડાવી લેનારા હિંદુ નેતાઓ જ છે. (૫) હિંદુ દલિત પરિવારો ઉપર અમાનુષી અત્યાચારો અને હુમલા કરનારાઓ તથા એ મામલે ચુપકીદી ધારણ કરી લેનારા તમામ હિંદુઓ જ છે (૬) કશ્મીરમા પંડીતોની હત્યા થઇ હશે પરંતુ મધ્યયુગથી બીજા વિશ્વ યુદ્ધ સુધીના સમયમાં લગભગ પાંચ લાખ કે તેનાથી વધારે હિંદુ તિર્થ યાત્રીઓને ગળે ટુપો દઇ લાશો જમીનમાં દાટી દેનારા કાલી ભકત હિંદુઓની અનેક ટોળકીઓ વંશ પરંપરાગત કામ કરતી હતી.  હરકીશન મહેતાની પિળા રૂમાલની ગાંઠ નવલકથા વાંચી જજો આમ હિંદુઓ ઉપર હિંદુઓએ મુસ્લિમો કરતા યે વધુ હેવાનિયત ભર્યા અત્યાચારો કર્યા છે એ જાણી લેજો!
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top