Sports

પાકિસ્તાન ફરી અવરચંડુ બન્યું : વર્લ્ડકપને લઇને કરી આવી કોમેન્ટ

નવી દિલ્હી : સરહદ હોઈ કે પછી ક્રિકેટ મેચ (Cricket match) પાકિસ્તાન (Pakistan) બને વખતે તેની અવરચંડાઇને લઇને વિવાદનો મધપૂડો છેડતું જ રહે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અઘ્યક્ષે ફરી એક વાર તેનો મનસૂબો જાહેર કર્યો છે. રમીઝ રાઝાએ (Ramiz Raza) કરેલી ટિપ્પણીથી (Comment) વિવાદ છેડાઈ ગયો હતો. તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહ (Jay Shah) ઉપર કરેલી કોમેન્ટ કરી કહ્યું હતું કે ‘જો ભારતની ટિમ પાકિસ્તાન નહિ આવે તો,તેમણે આમારા વગર જ વર્લ્ડ કપ રમવો પડશે’જોકે રાજકીય તનાવને લઇને ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ 2012 બાદ દ્વિપક્ષીય સીઝન થઇ ન હતી. બીજી તરફ ટિમ ઇન્ડિયા છેલ્લા 14 વર્ષથી પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી.

આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાશે એશિયા કપ
ફરી એકવાર એશિયા કપ નું આયોજન પાકિસ્તાનમાં થવા જઈ રહ્યું છે. અને આવામાં BCCI સેક્રેટરી જય શાહે આ વિશે કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે નહીં જાય. તેમના નિવેદન બાદ પાકિસ્તાન ચોંકી ગયું છે. પીસીબીએ તરત જ નિવેદન આપ્યું હતું કે તે પણ આવતા વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ભારતીય પ્રવાસ પર નહીં આવે.

રમીઝ રાઝાએ તેના નિવદેનના પુનરાવર્તન કર્યું
પાકિસ્તાન બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ આ જ નિવેદનનું પુનરાવર્તન કર્યું છે.રમીઝ રાજાએ કહ્યું, ‘જો પાકિસ્તાનની ટીમ આવતા વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં નહીં રમે તો ટૂર્નામેન્ટ કોણ જોશે? આ મામલે અમારું સ્પષ્ટ કહેવું છે કે જો ભારતીય ટીમ અહીં આવશે તો જ અમે ત્યાં વર્લ્ડ કપ માટે જઈશું.

ભારતને પાકિસ્તાન વગર વર્લ્ડકપ રમવો પડશે
રમીઝ રાજાએ કહ્યું, ‘જો ભારતીય ટીમ નહીં આવે તો તેમણે અમારા વિના વર્લ્ડ કપ રમવો પડશે. અમે અમારું આક્રમક વલણ જાળવી રાખીશું. અમારી ટીમે શાનદાર પ્રદર્શન કરીને બતાવ્યું છે. મેં હંમેશા કહ્યું છે કે આપણે પાકિસ્તાન ક્રિકેટની અર્થવ્યવસ્થાને સુધારવાની જરૂર છે. આ ત્યારે જ થઈ શકે છેજ્યારે અમે અમે તે શાનદાર પ્રદર્શન કરીને બતાવીશું. પીસીબી અધ્યક્ષે કહ્યું, ‘અમે છેલ્લા 2021 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હરાવ્યું હતું. આ વખતે એશિયા કપમાં પણ પરાજય થયો છે. મોટી અર્થવ્યવસ્થા ધરાવતી ભારતીય ટીમ એક વર્ષમાં બે વખત પરાજય પામી છે.

Most Popular

To Top