Vadodara

ધાર ગુમાવી રહેલો કોરોના, નવા ૬૨ કેસ, ૫૫ દર્દીને રજા અપાઈ

       વડોદરા: રવિવારે કોરોના સંક્રમણના 62 નવા કેસો નોંધાતા કુલ આંક 23,065 ને પાર પહોંચ્યો છે. વારે ડેથ ઓડીટ કમિટી દ્વારા એક પણ દર્દીનું મૃત્યુ જાહેર નહીં કરાતા મૃત્યુ આંક 241 પર િસ્થર રહયો છે અને 55 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓનો આંક 21,893 થયો છે.

રવિવારે કોરોનામાં 62 કેસ પોઝીટીવ નોંધાયા હતા. જેમાં સમા, અટલાદરા, ગોરવા, છાણી, સુભાનપુરા, હરણી માણેજા, તાંદલજા, તરસાલી, વારસીયા, માંજલપુર, વાસણા, અકોટા, પ્રતાપનગર, આજવા રોડ, અલકાપુરી, રાજમહેલ રોડ, દંતેશ્વર, વાઘોડીયા રોડ, ગોત્રી, મકરપુરા, ઓપી રોડ, િદવાળીપુરા તથા ગ્રામ્યમાં કરજણ, સાવલી, પાદરા, ડભોઈ ખાતેથી પોઝીટીવ દર્દીઓને મળી આવ્યા છે.

શહેરમાં ઝોન મુજબ પૂર્વમાં શનિવારે 9 પશ્ચિમમાં 12 ઉત્તરમાં 10, દક્ષિણમાં 10 વડોદરા રૂરલમાં 21, આઉટ સાઈડરમાં 00 મળી કુલ 62 કેસ પોઝીટીવ આવ્યા છે અને અત્યાર સુધી પૂર્વમાં 3422 કેસ સામે 41 ના મોત થયા છે. તેવી જ રીતે પશ્ચિમમાં 3740 પોઝીટીવ કેસ સામે 43 ના મોત, ઉત્તરમાં 4513 કેસ સામે 54 ના મોત, દક્ષિણમાં 4150 કેસ સામે 46 ના મોત, વડોદરા રૂરલમાં 7204 કેસ  અને આઉટ સાઈડરના 36 કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધી 23,065 પોઝીટીવ કેસ સામે 241 દર્દીના મોત થયા છે.

રવિવારે િદવસ દરમિયાન 55 દર્દીને રજા આપવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાંથી 11 દર્દીને રજા આપવામાં આવી છે. 5 દર્દીને ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં આઈસોલેશનમાંથી 39 દર્દીને રજા આપવામાં આવી છે. આમ કુલ અત્યાર સુધીના 21,893 દર્દીઓને રજા આપવામાં આવી છે.

રવિવારે િદવસ દરમિયાન 3202 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 62 પોઝીટીવ અને 3140 નેગેટીવ િરપોર્ટ આવ્યા હતા. હાલમાં દાખલ દર્દીઓની િવગત જોઈએ તો કુલ 931 છે. જેમાં 788 સ્ટેબલ છે અને 105 ને ઓકસીજન અપાઈ રહ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top