Dakshin Gujarat

વલસાડ જિલ્લામાં CVGL એપ પર આચારસંહિતાની 20 દિવસમાં 46 ફરિયાદ

વલસાડ : ગુજરાત (Gujarat) સામાન્ય વિધાનસભા ચૂંટણી-2022 (Election) અન્વયે વલસાડ (Valsad) જિલ્લામાં પાંચ બેઠક ઉપર તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. હવે ગણતરીના માંડ 8 દિવસ બાકી રહ્યા છે ત્યારે જિલ્લામાં આદર્શ આચારસંહિતાની (Code of Conduct) માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ 24ƒ7 કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં 20 દિવસમાં સીવીજીલ એપ પર 46 અને હેલ્પલાઈન નં. 1950 નંબર પર 298 ફરિયાદો (Complaints) આવી છે.

  • હેલ્પલાઈન નં. 1950 પર 298 ફરિયાદ, તમામનો નિકાલ
  • ટોલ ફ્રી નંબર પર ચૂંટણી ખર્ચને લગતી 20 દિવસમાં એક પણ ફરિયાદ આવી નહીં
  • 95 ટકા ફરિયાદો પરવાનગી વગર પોસ્ટરો/બેનરો લગાવવા સંબંધિત આવી
  • જિલ્લાની પાંચ બેઠક પર આદર્શ આચારસંહિતાની ચૂસ્ત અમલવારી થાય અને આ દરમિયાન કોઈ વિસ્તારમાં આચારસંહિતાનો ભંગ થાય તો સીવીજીલ એપ પર ફરિયાદ કરી શકાય

જિલ્લાની પાંચ બેઠક પર આદર્શ આચારસંહિતાની ચૂસ્ત અમલવારી થાય અને આ દરમિયાન કોઈ વિસ્તારમાં આચારસંહિતાનો ભંગ થાય તો સીવીજીલ એપ પર ફરિયાદ કરી શકાય છે. આ સિવાય મતદારોને ચૂંટણી કાર્ડ સંબંધિત જે પણ ફરિયાદ હોય તો હેલ્પલાઈન નં. 1950 પર ફોન કરી શકાય છે. આ સિવાય ટોલ ફ્રી નં. 1800 233 2610 પર ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદ કરી શકાય છે. તા. 3 નવેમ્બર 2022થી તા. 22 નવેમ્બર 2022 સુધીમાં સીવીજીલ એપ પર 46 ફરિયાદો મળી હતી. જેમાંથી 36 ફરિયાદનો ઉકેલ આવ્યો હતો જ્યારે 10 ફરિયાદો રદ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને જોઈએ તો આચારસંહિતા ભંગને લગતી નહી હોય તેવી કુલ 10 ફરિયાદ રદ કરવામાં આવી છે. જ્યારે 95 ટકા ફરિયાદો પરવાનગી વગર પોસ્ટરો/બેનરો લગાવવા સંબંધિત આવી છે.

Most Popular

To Top