Gujarat

ઓડિસા – બાલાસોર ટ્રેન દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમ રદ

ગાંધીનગર : ઓડિસા – બાલાસોર ખાતે જુદી જુદી ત્રણ ટ્રેન (Train) અથડાવવાના (Accident) કારણે સર્જાયેલા અકસ્માતમાં ૨૫૦ કરતાં વધુ લોકોનાં મોત (Death) થવાની ઘટનાને પગલે આજે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ દ્વારા રાજયભરમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના કાર્યક્રમો રદ કરી દીધા હતા. જેની હવે પછી જાહેરાત કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંપર્ક અભિયાન, ટિફીન બેઠક તથા જાહેર કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. પ્રદેશ ભાજપની નેતાગીરીએ પણ આ ટ્રેન અકસ્માતના પગલે તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપની નેતાગીરીએ સમગ્ર ટ્રેન દુર્ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યકત્ત કરી છે.
…..

Most Popular

To Top