Vadodara

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિપક્ષી નેતાને મળી પિતૃશોક બદલ સાંત્વના પાઠવી

છોટાઉદેપુર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિરોધ પક્ષના વિરોધ પક્ષના નેતા અને પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા અને તેમના પરિવારજનોને મળ્યા હતા પિતૃશોક બદલ સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રૂપિયા 1.31 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરના કાર્યક્રમો પૂર્ણ કરી, રસ્તા માર્ગે કવાંટ તાલુકાના જામલી ગામે પહોંચ્યા હતા અને વિરોધ પક્ષના નેતા અને પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા અને તેમના પરિવારજનોને મળ્યા હતા. તેમણે રાઠવાને તાજેતરમાં થયેલા પિતૃ શોક અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતા સદગતને હાર્દિક અંજલિ આપી હતી અને પરિવારજનોને સાંત્વના સંવેદના પાઠવી હતી. તેમના પિતા હરિયાભાઈ રાઠવાનું તાજેતરમાં અવસાન થયું હતું. આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર, ધારાસભ્ય અભેસિંહ તડવી સહિત મહાનુભાવો તેમની સાથે જોડાયા હતા.

Most Popular

To Top