National

છત્તીસગઢ: બીજાપુરમાં CRPF કેમ્પ પર નક્સલીઓનો ઘાતકી હુમલો, 3 જવાન શહીદ, 14 ઘાયલ

બીજાપુર: છત્તીસગઢના (Chhattisgarh) સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં (Tekalgudem Village) CRPF કેમ્પ પર નક્સલવાદીઓએ (Naxalites) મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 જવાનો શહીદ (Martyr) થયા છે, જ્યારે 14 જવાનો ઘાયલ (Injured) છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ હુમલાની (Attacks) માહિતી મળતાં જ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તેમજ વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.

  • બીજાપુર જિલ્લામાં CRPF કેમ્પ પર નક્સલવાદીઓનો મોટો હુમલો
  • 3 જવાન શહીદ, 14 ઘાયલ
  • હુમલાખોરોની શોધખોળ શરૂ
  • માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો

પ્રાપ્ત માહિતી મુજબ સુકમા પોલીસ સ્ટેશન જગરગુંડા વિસ્તારમાં આજે 30 જાન્યુઆરીએ નક્સલી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા અને વિસ્તારના લોકોને મદદ કરવા માટે સુરક્ષા શિબિર બનાવવામાં આવી હતી. કેમ્પ બાદ સીઆરપીએફના કોબ્રા સૈનિકો જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.

સુરક્ષા દળોએ પણ માઓવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો અને જવાબી કાર્યવાહી કરી હતી. તેમજ સુરક્ષા દળોના વધતા દબાણને જોઈને માઓવાદીઓ જંગલની આડમાં ભાગી ગયા. જો કે આ અથડામણમાં ગોળી વાગવાથી 3 જવાન શહીદ થયા હતા. તેમજ 14 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. તેઓને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યો છે.

સીએમ શપથ લે તે પહેલા પણ નક્સલી હુમલો થયો હતો
જણાવી દઈએ કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં છત્તીસગઢમાં મુખ્યમંત્રીના શપથ પહેલા નક્સલી હુમલો થયો હતો. 13 ડિસેમ્બર 2023ના રોજ નક્સલવાદીઓએ નારાયણપુરમાં IED બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો. જ્યારે અન્ય ઘાયલ થયા હતા. નારાયણપુરમાં આ હુમલો એવા સમયે થયો જ્યારે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત એક સમારોહમાં સીએમ તરીકે શપથ લેવાના હતા.

નક્સલવાદીઓએ નારાયણપુરની અમદાઈ ખાણમાં IED પ્લાન્ટ કર્યો હતો. CAF 9મી BN બટાલિયનના સૈનિકો આનાથી પ્રભાવિત થયા હતા. આ હુમલામાં CAF કોન્સ્ટેબલ કમલેશ સાહુ શહીદ થયા હતા. જ્યારે કોન્સ્ટેબલ વિનય કુમાર સાહુ ઘાયલ થયા હતા.

Most Popular

To Top