Charchapatra

ચૂંટણીમાં ઉમેદવારી કરનારની લાયકાત નક્કી કરો

ચૂંટણીમાં ઉમેદવારી કરનારને માટે લાયકાતનું ધોરણ નક્કી કરવું જોઇએ કારણ કે ચૂંટાયા પછી તેઓ મંત્રી બને છે ત્યારે તેઓને વિશેષ લાભ મળે છે. દરેક વિધાનસભ્યોને સારો એવો પગાર મળે છે ત્યારબાદ પેનશનપણ મળે છે અગાઉની પોસ્ટ પરના પેન્શન સાથે નવી પોસ્ટનું પણ પેન્શન મળે છે. આથી નેતાઓને માટે પણ લાયકાતનું ધોરણ હોવું જોઇએ. એ લોકોનીપણ પરીક્ષા લેવાવી જોઇએ કારણ સરકારી નોકરી મેળવવા માગતા યુવાનોની જાહેર પરીક્ષા લેવાય છે તે પરીક્ષામાં પાસ થાય ત્યારબાદ તેને નોકરી આપવામાં આવે છે. વિધાનસભ્યો સંસદો પણ પગાર લે છે એટલે તેઓની પરીક્ષા લેવાવી જોઇએ.
નવસારી – મહેશ નાયક

Most Popular

To Top