Entertainment

બોલિવૂડની અભિનેત્રી તેમજ ચિત્રકાર લલિતાજીએ 90 વર્ષની ઉંમરે પોતાના છેલ્લા શ્વાસ લીધા

મુંબઈ: ગુરુ દત્તની બહેન (Sister) લલિતા લાજમીએ 90 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ જાણીતા ચિત્રકાર હતા. તેણે આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. જો કે આ ફિલ્મમાં (Film) તેમની ખાસ ભૂમિકા હતી. જણાવી દઈએ કે લલિતા લાજમી એક સેલિબ્રિટી ચિત્રકાર (Painter) હતા. આ ઉપરાંત તેઓ શાસ્ત્રીય નૃત્યમાં પણ ઊંડો રસ ધરાવતા સ્વ-શિક્ષિત કલાકાર હતા. નોસ્ટાલ્જિયા અને તેમના આર્ટવર્ક ‘ડાન્સ ઓફ લાઈફ એન્ડ ડેથ’માં આ જોવા મળે છે. જહાંગીર નિકોલ્સન આર્ટ ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમના મૃત્યુની માહિતી આપી છે. ફાઉન્ડેશને તેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘અમે તમને આ સમાચાર જણાવતા ખૂબ જ દુઃખી થઈ રહ્યા છીએ કે લલિતા લાજમીજીનું નિધન થયું છે. તે સ્વ-પ્રેરિત કલાકાર હતા. તેમને શાસ્ત્રીય નૃત્યમાં ખૂબ જ રસ હતો. તેઓ ખૂબ જ સારું જીવન જીવ્યા આ ઉપરાંત તેઓએ પોતાના જીવનમાં ઘણાં કાર્ય કર્યા છે. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે’. આ સમાચાર પછી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ પછી સોશિયલ મીડિયા પર લલિતા લાજમીના નિધન પર શોક વ્યક્ત કરતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. શોક વ્યક્ત કરતાં એક ચાહકે લખ્યું, ‘તે ખૂબ જ સુંદર મહિલા અને સંવેદનશીલ અભિનેત્રી હતી. હું તેની પાસેથી ઘણું શીખ્યો છું. તેમની આત્માને શાંતિ મળે. તે જ સમયે દુઃખ વ્યક્ત કરતા અન્ય એક પ્રશંસકે લખ્યું ‘હું 3 દિવસ પહેલા તેમના આર્ટ પ્રદર્શનમાં ગયો હતો. આ સમાચાર ખૂબ જ દુઃખદ છે. પોતાની સંવેદના વ્યક્ત કરતી વખતે ત્રીજા ચાહકે લખ્યું, ‘તેઓ એક ખૂબ જ સંવેદનશીલ કલાકાર હતા.

જણાવી દઈએ કે પ્રખ્યાત કલાકાર હોવા ઉપરાંત લલિતાજીએ એક બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેમની ફિલ્મ હતી આમિર ખાનની ‘તારે જમીન પર’, જે વર્ષ 2007માં આવી હતી, જેમાં ઈશાન નામના બાળકની માનસિક સ્થિત અંગેની વાર્તા બતાવવામાં આવી હતી, જેને અભ્યાસમાં બિલકુલ રસ નહોતો અને આમિર ખાને શિક્ષકની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે આ ફિલ્મના એક છેલ્લા સીનમાં લલિતા લાજમી પણ જોવા મળ્યાં હતા. આ ફિલ્મમાં તેઓ શાળાની ચિત્ર સ્પર્ધામાં મહેમાન તરીકે જોવા મળ્યાં હતી. આ ફિલ્મમાં તેમનો રોલ નાનો હતો, પરંતુ ખૂબ જ ખાસ હતો.

લલિતાજીની અગાઉની કૃતિઓ તેમણે તેમના અંગત જીવન અને અવલોકનોમાંથી પ્રેરણા મેળવીને તૈયાર કરી હતી. આ કૃતિમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના છુપાયેલા તણાવને દર્શાવવામાં આવ્યો હતો. લલિતાજી તેમના ભાઈ ગુરુ દત્ત, સત્યજીત રે અને રાજ કપૂર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોથી પણ પ્રભાવિત હતા.

Most Popular

To Top