Gujarat

આગામી તા.17 મી નવે.એ ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળશે

આગામી તા.17મી નવે.ના રોજ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાનાર છે. જેમાં પાર્ટી નેતાગીરી દ્વ્રારા પેજ કમિટી સહિતના નવા કાર્યક્રમો ઉપર ચર્ચા કરીને મહત્વના નિર્ણય લેવામાં આવનાર છે. ગઈકાલે નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ સીએમ વિજય રૂપાણી, પૂર્વ ડે સીએમ નીતિન પટેલ તથા પ્રદેશ સંગઠ્ઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજે રાત્રે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દેશભરમાં કોરોના સામેની લડાઈમાં 100 કરોડ લોકોને વેકિસન આપવામાં આવી તે મુદ્દે કેન્દ્ર સરકારને અભિનંદન આપતો ઠરાવ પસાર કરાયો હતો. આ ઉપરાંત કોરોનાના લોકડાઉન જેવા કપરા સમયમાં કોઈ ભૂખ્યા ના સુવે તે માટે કેન્દ્ર દ્વ્રારા કરોડો લોકોને વિના મૂલ્યે અનાજ આપવામા આવ્યુ તે પગલાની પણ પ્રશંસા કરાઈ હતી.

આ ઉપરાંત કેન્દ્ર દ્વ્રારા મોંધવારી ઘટે તે માટે એકસાઈઝ ડયુટીના દરો ઘટાડવા માટે નિર્ણ લીધો તેને પણ આવકાર આપવામાં આવ્યો હતો. પાટીલે કહયું હતું કે આગામી તા.17મી નવે.ના રોજ ગુજરાત ભાજપની મહત્વની કારોબારીની બેઠક યોજાનાર છે. તેમાં પેજ કમિટીની રચના અંગે જે કોઈ કાર્યવાહી બાકી હોય તેને પણ પૂર્ણ કરાશે

Most Popular

To Top