Gujarat Election - 2022

BJPએ પહેલી વાર દેશમાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનાવી આખા દેશમાં સંદેશો આપ્યો- મોદી

ગાંધીનગર : આજે દાહોદના ખરોડમાં ભાજપના (BJP) ઉમેદવારોના સમર્થનમાં જનસભાને સંભોદન કરતાં પીએમ (PM) નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દાહોદમાં હું જેટલી વખત આવ્યો દરેક વખતે જૂના રેકોર્ડ (Record) તોડયા છે. ખૂબ મોટી વિરાટ જન સંખ્યા જોઇને લાગે છે કે આ વખતે દાહોદે નક્કી કર્યુ છે કે ભાજપની સરકાર બની ગઇ. આજે મારા માટે આનંદની પળ છે કે દાહેદની જે ધરતી પર જીવનના પ્રારંભિક વર્ષોમાં સાઇકલ પર ફરી ને કામ કરતો ત્યારે આજે અંદાજે 45 વર્ષે પણ અહીંના લોકોએ એટલો જ પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યા છે આનાથી મોટુ સદભાગ્ય કશું ન હોય. મોદીએ દાહોદ, પંચમહાલ અને આદિવાસી જિલ્લાના સમર્થકો – કાર્યકરો તથા ઉમેદવારોને સંબોધન કરતા જણાવ્યું કે, આ વિસ્તાર એક પ્રકારે ઇતિહાસના ના પન્નામાં ભલે ન ચમક્યો, આઝાદી પછી જે ન્યાય મળવો જોઇએ તે ભલે ન મળ્યો હોય પરંતુ આ ધરતીએ, અહીંના આદિવાસીભાઇઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યા છે. આ વિરોની ધરતી દેશના આઝાદી માટે મર મીટનારા લોકોની ધરતી છે. પેઢી દર પેઢી રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપનાર ગોવિંદ ગુરુને વંદન કર્યા.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં જનતાએ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર બનાવવા જે રીતે આશીર્વાદ આપી રહ્યા છો તે બદલ એડવાન્સમાં આપ સૌનો આભાર માની રહ્યો છું. આ ચૂંટણી તો ગુજરાતની જનતા ભાજપને જીતાડવાની છે હું નથી જીતાડતો. મારા માટે આ જનતા જનાર્દન ઇશ્વરનો અવતાર છે. જેટલી વાર માથુ ટેકવવાની તક મળે ત્યારે પુણ્ય જ મળે અને એટલે તમારા આશીર્વાદ લઇ પુણ્ય કમાવવા આવ્યો છું બાકી વિજય તો તમારા મતથી થવાનો જ છે અને તમારો વટ પણ પડવાનો છે. કોંગ્રેસ વાળાને જીત પાકી લાગે તો જનતાની સામે પણ ન જુવે પરંતુ ભાજપ જીત 200 ટકા પાકી હોય તો પણ જનતાના પગે પડે અને પડે, કોંગ્રેસ અને ભાજપમાં આ ફરક છે. તમે મને સત્તા પર નથી બેસાડયો, તમે મને સેવાનું કામ સોપ્યું છે હું એક સેવક તરીકે સેવાદારનું કામ કરુ છું. જેમ હું મારુ કર્તવ્ય નિભાવ છું મતદાતાઓને મળી આશીર્વાદ લઉ છું તેમ આ દેશનો દરેક નાગરિક પણ તેમનું કર્તવ્ય નિભાવે. જો દરેક વ્યક્તિ તેનું કર્તવ્ય નિભાવે તો આ દેશને આગળ જતા કોઇ ન રોકી શકે. આ ચૂંટણીમાં આપણા બધા નાગરિકોનું કર્તવ્ય છે કે પોલિંગ બૂથ પર જઇને બટન દબાવી મત દબાવી લોકતંત્રની સેવા કરવાની અને કમળને મત આપીને ભાજપ અને ગુજરાતની સેવા કરવાનું કર્તવ્ય સૌએ નિભાવવાનું છે.

તેમણે કહયું હતું કે આદિવાસી સમાજનું કોંગ્રેસે આઝાદી પછી પંચાયતથી પાર્લામેન્ટ સુધી વર્ષો સુધી સત્તા ભોગવી પણ એમને કયારેય આદિવાસીઓની યાદ ન આવી. કોંગ્રેસ વાળા ચૂંટણી આવે એટલે આદિવાસીઓની વાત કરી મત લઇ જતા રહે. આ દેશમાં ઢગલા બંધ રાષ્ટ્રપતિ થઇ ગયા પરંતુ કોંગ્રેસના લોકોને કયારેય કોઇ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. ભારતીય જનતા પાર્ટીએ પહેલી વાર દેશમાં આદિવાસી રાષ્ટ્રપતિ તેમા પણ મહિલા રાષ્ટ્રપતિ બનાવી આખા દેશમાં સંદેશો આપ્યો છે.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હમણા એક ભાઇ પદ માટે યાત્રા કરી રહ્યા છે, પદ માટે લોકશાહિમાં યાત્રા કરાય તે ખોટુ નથી. પરંતુ પદ માટે ભાષણ કરે છે ત્યારે પુછવા માંગુ છું કે ભાજપે એક આદિવાસી બહેનને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યા તો તેમને ટેકો આપવા તમારા પેટમાં શું દુખતું હતું. આપણા રાષ્ટ્રપતિ ઉમેદવાર બહેનની સામે કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખ્યો તેમને હરાવવા આકાશ પાતાળ એક કર્યુ પરંતુ આદિવાસી ભાઇ-બહેનોના આશીર્વાદ હતા કે આપણા દેશની આદિવાસી બહેન દેશની રાષ્ટ્રપતી બનાવ્યા. કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે કે પોતે તો કરે નહી બીજાને કરવા દે નહી અને જો કરે તો આડે ઉતરીને ખાડા કરવાનો કોંગ્રેસનો સ્વભાવ છે. ભાજપના સંસ્કાર,સિંદ્ધાત સર્વાનગી વિકાસને વળેલા છે, સર્વસ્પર્શી વિકાસને વળેલા છે, સર્વહિત માટે કામ કરવા વાળા ભાજપના લોકો છે. આજે ગુજરાત તેજ ગતીએથી વિકાસ કરી રહ્યું છે અને ગુજરાત અને ભારતના વિકાસની આજે દુનિયા ભરમાં ચર્ચા થઇ રહી છે. ભાજપે જ્યા સેવા કરવાની તક મળ્યો ત્યારે તેજ ગતીથી, સર્વાંગી વિકાસ, સર્વો સ્પર્શી વિકાસ, સર્વોક્ષેત્રીય વિકાસ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આદિવાસી પરિવારોના રોટલા ખાઇને હું મોટો થયો છું ત્યારે નિરાંતે વાત કરવાનું મન થાય તે સ્વભાવિક છે. ફુટપાથ પર વેપાર કરનાર પાથરળાવાળા, લારી ગલ્લામાં શાકભાજી વેચનાર અને નાના વેપારીઓ માટે સ્વનિધિ યોજના ચલાવીએ છીએ તો બીજી બાજુ પીએલઆઇ સ્કીમ દ્વારા મોટો મોટા દુનિયાના ઉદ્યોગકારો આવે તેના માટે યોજના બનાવી રહ્યા છીએ. ભારત અને ગુજરાતમાં વિમાનો બને તેના કારખાના અને ફેકટરીઓ બને તેનું કામ કરીએ છીએ. ગરિબોને પાકા ઘર આપવાનું કામ કરીએ છીએ. આયુષ્યમાન યોજના થકી પાંચ લાખ રૂપિયા થકી દર્દીઓની સારવાર માટે મળે તેની વ્યવસ્થા કરી છે. આજે ડિજિટલ પેમેન્ટ માટેની વ્યવસ્થા કરી છે. આજે ગામડે ગામડે 108ની સુવિધાથી દર્દીઓને ઝડપથી સારવાર મળે. આજે ઘરે ઘરે નળથી જળ મોકલવાની વ્યવસ્થા કરી છે.આજે દાહોદ જિલ્લાની આદિવાસી દિકરી નર્સ બની વિદેશમાં સેવા કરવા જાય તે કામ આપણે કર્યું છે. કોંગ્રેસના જમાનામાં પહેલા લોન મેળા કરે તેમાં પણ કટકી કરતા હતા. કોંગ્રેસના સમયમાં આદિવાસીઓ દેવાના ડુંગરમાં હોમાઇ જતા આજે આપણે આદિવાસીઓનું જીવન બદલી નાખ્યું છે. આજે દાહોદમાં હિન્દુસ્તાનને દોડાવે તેવા એન્જિન બનાવવાના છે. અહીંના એન્જિન વિદેશમાં એક્સપોર્ટ કરવાના છે.

Most Popular

To Top