Dakshin Gujarat Main

ભરૂચમાં આ બે યુવાનો સાથે એવું તે શું થયું કે આખા ગામમાં શોકની કાલીમા છવાઈ ગઈ

ભરૂચ: ઉબેર ગામના બે યુવાન ધારી ધોધમાં ડૂબી જતાં સોમવારે (Monday) સ્મશાનયાત્રામાં (Funeral) આખું ગામ શોકમગ્ન બની ગયું હતું. રવિવારે (Sunday) ઉબેર ગામમાં બે યુવાન નેત્રંગના ભક્તિધામ ખાતે આત્મીય સ્નેહમિલનમાં જવા માટે નીકળ્યા હતા. તેઓ વહેલા પહોંચી જતાં સાતપુડા પર્વતમાંથી વહેલી કરજણ નદીના ધારી ધોધ મહાલવા ગયા હતા, જેમાં ઉબેરના પરમ મિત્રો વિશાલ પરમાર તેમજ રાકેશ પઢિયાર નાહવા પડતાં હતાં. ક્ષણવારમાં એક યુવક ડૂબવા લાગયો હતો. તેને બચાવવા જતાં બીજા મિત્રએ પ્રયાસ કરતાં બંને જણાનાં મોત થયાં હતાં.

મૂળ વિશાલ પરમાર પરિવારમાં એકનો એક દીકરો હોવાથી તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. તેના પિતા રાજેન્દ્ર પરમાર ગજેરા પાસે આવેલી ગુજરાત ગ્લાસ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે રાકેશ પઢિયાર ITI અભ્યાસ કરતો હતો. રાકેશનો નાનો ભાઈ રોનક છે. તેના પિતા ખેતીકામ કરે છે. કુબેર ગામમાં બંનેના મૃતદેહ આવતાં તેમના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી આખા ગામમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. અંતિમયાત્રા વેળા આખું ગામ હિબકે ચઢ્યું હતું. સોમવારે સવારે અંતિમયાત્રામાં ગ્રામજનો સહિત હરિભક્તો જોડાયા હતા.

ઝઘડિયાના પાણેથા નજીક કારચાલકે 4 રાહદારીને અડફેટે લેતાં ઇજા
ઝઘડિયા: ઝઘડિયાના પાણેથા-અશા રોડ પર ગત રાત્રિ દરમિયાન ચાલવા નીકળેલા એક જ પરિવારના ચાર સભ્યોને કારચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો, જેમાં ચારેય ઇસમ જખમી થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ઉમલ્લા દવાખાને લઇ જવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવાર, તા.૩ના રોજ રાતના આઠ વાગ્યાના સમયે અશા-પાણેથા માર્ગ પર કેટલાક રાહદારીઓને એક ફોર વ્હિલ ગાડીએ અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં ગોવિંદ વણઝારા, મિતેષ વણઝારા, સરદાર દલાજી વણઝારા તેમજ જતીન વણઝારા નામના ઇસમને ગંભીર ઇજા થઇ હતી. આ ઇજાગ્રસ્તો પૈકી કેટલાકને માથા, કેટલાકને ખભા તેમજ હાથ-પગ પર ફેક્ચર થયું હતું. અકસ્માત બાદ ગાડીનો ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકી નાસી છૂટ્યો હતો. અકસ્માત બાબતે ગોવિંદ ભીખા વણઝારાએ ઉમલ્લા પોલીસમાં અકસ્માત કરી નાસી જનાર વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી.

ઝઘડિયાના પાણેથા નજીક કારચાલકે 4 રાહદારીને અડફેટે લેતાં ઇજા
અંકલેશ્વર: અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતાં દંપતી પૈકી પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ઈજા પહોંચી હતી. સુરતના પરવત પાટિયા સ્થિત અંબિકાનગર ખાતે રહેતા પિન્કેશકુમાર સોલંકીના પિતા નરેશભાઈ પોતાની મોટરસાઇકલ લઇ પત્ની જ્યોત્સ્નાબેન સાથે અંકલેશ્વર ખાતે રહેતા તેઓના સંબંધીને મળવા આવ્યા હતા. જેઓ ગતરોજ સાંજે 6 કલાકે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક વાલિયા તરફ જવાના માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યાં હતાં. એ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતી પૈકી પત્નીને ગંભીર ઈજા પહોંચતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ઈજા પહોંચી હતી. આ અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top