Sports

ટીમ ઇન્ડિયાને વધુ એક આંચકો, સૂર્યકુમાર યાદવ અને દીપક ચાહર શ્રીલંકા ટી-20 સિરીઝ નહી રમે

આવતીકાલ 24 ફેબ્રુઆરીથી શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સિરીઝ (Sri Lanka T20 Series)શરુ થઈ રહી છે. આ મેચ પહેલા ટીમ ઇન્ડિયા(Team India)ને આંચકો લાગ્યો છે. સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav) અને દીપક ચાહર(Deepak Chahar) ઈજાગ્રસ્ત થયા છે. વેસ્ટ ઈન્ડિઝ (West Indies)સામેની ટી-20 સિરીઝમાં તોફાની બેટિંગ કરનાર સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. એક ક્રિકેટ એજન્સીના જણાવ્યા અનુસાર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. મિડલ ઓર્ડરમાં આક્રમક બેટિંગ કરનાર સૂર્યકુમાર યાદવ પણ હાથમાં હેરલાઈન ફ્રેક્ચર હોવાને કારણે શ્રીલંકા સામેની શ્રેણીમાં રમી શકશે નહી.આ મેચ લખનઉમાં રમાવાની છે.

ઈન્ડિયન ટીમ
રોહિત શર્મા (કેપ્ટન),જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, રવીન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, અને યુઝવેન્દ્ર ચહલ.

શ્રીલંકન ટીમ
દસુન શનાકા (કેપ્ટન), ચરિથ અસાલંકા, પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, ધનુષ્કા ગુણાતિલકા, કામિલ મિશારા, જનથ લિયાનાગે, વાણિન્દુ હસરંગા, ચામિકા કરુણારત્ને, લાહિરુ કુમારા, દુષ્મંતા ચમીરા, બિનુકા ફર્નાન્ડો, શિરન ફર્નાન્ડો, મહીશ તીક્ષણા, જેફરી વેંડરસે, પ્રવીન જયાવિક્રમા, આશિયાન ડેનિયલ.

Most Popular

To Top