Vadodara

આણંદ જિલ્લા પંચાયત ભવન સુંદરકાંડના પાઠથી ભક્તિમય બન્યું

આણંદ તા.23
અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અન્વયે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન ક્લબ દ્વારા જિલ્લા પંચાયત ભવન, આણંદ ખાતે શ્રી રામ વંદના કાર્યક્રમ યોજાયો હતો.
અયોધ્યા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. વડાપ્રધાને દેશના લોકોને શેરી મહોલ્લા મંદિર તમામ જગ્યાએ ભજન તથા સુંદરકાંડનું આયોજન કરવા આહવાન કર્યું છે, ધ્યાને લઈ આણંદ જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન ક્લબ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિન નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ ઉજવણી કરી છે. આ કાર્યક્રમની શરૂઆતમાં કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ શ્રીરામ તથા હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી. બાદમાં સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધિકારી હાજર રહ્યાં હતાં.

Most Popular

To Top