Gujarat

મણીનગરમાં નશામાં ધૂત યુવકની ગાડી દીવાલ સાથે ભટકાયા પછી ચાર-પાંચ વાર પલટી ખાઈ ગઈ

અમદાવાદ: હજું તો અમદાવાદના (Ahmedabad) ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને (Accident) 15 દિવસ પણ નથી થયા ત્યારે બીજા એક નબીરાએ અકસ્માત સર્જયો છે. મણીનગરમાં નશામાં ધૂત નબીરાએ વધુ એક અકસ્માત સર્જયો છે. જો કે આસપાસનાં લોકોની સૂઝબૂઝના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જો કે ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે વધારાની તપાસ હાથ ધરી હતી.

  • કાર દીવાલ સાથે ભટકાઈ અને ચારથી પાંચ વાર પલટી ખાઈ ગયા પછી 3 જણાં ગાડીમાંથી બહાર આવ્યાં
  • આસપાસનાં લોકોની સૂઝબૂઝના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી
  • કારમાં બેસેલા તમામ સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ મણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો

મણીનગરમાં જવાહર ચોક પાસે રાત્રે 12:30ની આજુબાજુના સમયે ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરતા કાર ચાલકે ફરી એકવાર અકસ્માત સર્જ્યો હતો. નબીરાએ બેફામ ગાડી ચલાવી રોડ ઉપર સાઈડમાં પડેલા બાંકડામાં ઘુસાડી દીધી હતી. ત્યાર પછી કાર અચાનક દીવાલ સાથે ભટકાઈ અને ચારથી પાંચ વાર પલટી ખાઈ ગઈ હતી. કાર પલ્ટી ખાધા પછી કારમાં બેસેલા 3 જણાં એક પછી એક બહાર આવતા તેઓએ દારૂ પીધેલો હોય તેવી અવસ્થામાં જોવા મળ્યા હતા.

આ અકસ્માત થયો તે સમયે બાકડા પર બેસેલા ત્રણ લોકો સમય સૂચકતા વાપરી નાસી છૂટયા હતાં જેનાં કારણે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. કારમાં બેસેલા તમામ સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ મણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જ્યારે આ તમામ લોકો ઇસનપુરના હોવાનું હાલ સામે આવ્યું છે. પોલીસને મણિનગરમાં થયેલા અકસ્માત કારની અંદરથી બીયરની બોટલો પણ મળી આવી છે. આ સમગ્ર બનાવ અંગે હાલ પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ફરી એક વખત અકસ્માત થતાં અમીર બાપના દીકરાઓ હજી કેટલા લોકોનો જીવ લેશે તેની સામે પ્રશ્ન ઊભા થયા છે. 

Most Popular

To Top