Entertainment

અભિનેતા બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી અવસાન, મનોજ બાજપેયી અને અન્ય સ્ટાર્સે વ્યથા વ્યક્ત કરી

ટીવી અને બોલિવૂડ એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી અવસાન થયું છે. તે 52 વર્ષના હતા. અભિનેતા બનતા પહેલા બિક્રમજીત કંવરપાલ આર્મી ઓફિસર રહી ચૂક્યા છે. 2003 માં સેનામાંથી નિવૃત્તિ લીધા બાદ તેણે અભિનયની શરૂઆત કરી હતી. અભિનેતા અશોક પંડિત દ્વારા બિક્રમજીત કંવરપાલના મોતની જાણકારી સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. 

અશોક પંડિતે ટિ્‌વટ કર્યું હતું કે, આજે સવારે કોરોનાને કારણે મેજર બિક્રમજીત કંવરપાલના મૃત્યુના સમાચાર સાંભળીને દુ:ખ થયું છે. નિવૃત્ત સૈન્ય અધિકારી, કંવરપાલે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં સહાયક ભૂમિકાઓ ભજવી હતી. તેના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે મારી સંવેદના. અશોક પંડિત ઉપરાંત અભિનેતા મનોજ બાજપેયી, શ્રિયા પિલગાંવકર, રોહિત રોય, નીલ નીતિન મુકેશ અને કુબ્રા સૈત ટ્વિટ દ્વારા શોક વ્યક્ત કરાયો છે. મનોજ બાજપેયીએ લખ્યું કે, હે ભગવાન, દુ: ખદ સમાચાર છે. અમે એકબીજાને 14 વર્ષથી ઓળખતા હતા, 1971 ની ફિલ્મના શૂટિંગમાં અમારી ઓળખ થઈ. ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર.

નીલ નીતિન મુકેશે લખ્યું, “ખૂબ જ દુ : ખદ સમાચાર, હું ઘણા વર્ષોથી મેજર બિક્રમજિતને જાણતો હતો. મેં અને તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું. અમારી સાથેની છેલ્લી ફિલ્મ બાયપાસ રોડ હતી. તે ઉત્તમ, ઉર્જાથી ભરપૂર અને પ્રોત્સાહક વ્યક્તિ હતા. તેને હંમેશા તે તરીકે યાદ કરવામાં આવશે. 

આ શો અને ફિલ્મોમાં જોયું જોવા મળ્યા


ભારતીય સૈન્યમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે અભિનયની શરૂઆત કરી હતી. તેમણે ટીન પટ્ટી, રોકેટ સિંઘ: સેલ્સમેન ઓફ ધ યર, રિઝર્વેશન, મર્ડર 2, 2 સ્ટેટ્સ અને ધ ગાઝી એટેક જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

તેમણે ટીવી શોમાં પણ કામ કર્યું હતું , ફિલ્મો સિવાય, તેમણે દીયા ઓર બાતી હમ, યે હૈ ચાહતે, દિલ હી તો હૈ અને 24 જેવી ટેલિવિઝન સિરિયલોમાં પણ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. હવે મનોરંજન જગત પણ કોરોના રોગચાળાને કારણે પીડાઈ રહ્યો છે. કોવિડ -19 ને કારણે ઘણા કલાકારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Most Popular

To Top