SURAT

સુરત: સરદાર માર્કેટના ગેટ પાસે કાર ચાલકે અડફેટે લેતા બાઇક ફંગોળાઇ અને શાકભાજી વિક્રેતાનું મોત નીપજ્યું

સુરત : સોમવારે મોડી રાત્રે સરદાર માર્કેટમાં (Sardar Market) શાકભાજી લેવા જઇ રહેલા શાકભાજીવાળાને કાર (Car) ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે મોત (Death) નિપજ્યું હતું. ઓવરસ્પીડમાં કાર હંકારતા ચાલકે શાકભાજીવાળાની બાઇકને (Bike) પાછળથી ટક્કર મારી હતી. બનાવને પગલે શાકભાજીના અન્ય વેપારીઓએ પુણા પોલીસ મથકે (Police Station) પહોંચી તાત્કાલિક ગુનો નોંધવાની માંગણી કરી હતી. પોલીસે બપોર બાદ ગુનો નોંધી કાર ચાલકની અટકાયત કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોડાદરા વિસ્તારમાં આવેલા કુબેરનગર ખાતે રહેતા અરૂણ બાબાસાહેબ ગોગાડે (ઉ.વ.45) શાકભાજીના વિક્રેતા છે. અરૂણ ગોગાડે સોમવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ તેના જમાઇ સુનીલ તરડે સાથે બાઇક ઉપર સરદાર માર્કેટ જઇ રહ્યા હતા. શાકભાજી લેવા માટે નીકળેલા અરૂણ ગોગાડે સરદાર માર્કેટના ગેટ નજીક પહોંચતા જ પાછળથી આવી રહેલી કાર નં.જીજે.5.સીપી.6010ના ચાલકે અરૂણ ગોગાડેની બાઇકને ટક્કર મારી હતી. ઓવરસ્પીડમાં કાર હોય બાઇક ફંગોળાઇ ગઇ હતી.

આ અકસ્માતમાં અરૂણ ગોગાડેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના જમાઇ સુનીલ તરડેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક અરૂણ ગોગાડેના મોતને પગલે બે બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
અકસ્માતને પગલે અન્ય શાકભાજીના વેપારીઓ એકત્ર થઇ ગયા હતા અને મંગળવારે સવારના સમયે પુણા પોલીસ મથકે પહોંચી કાર ચાલક વિરૂધ્ધ તાત્કાલિક ગુનો નોંધવાની માંગણી કરી હતી. દરમિયાન બપોર બાદ પુણા પોલીસે ગુનો નોંધી અકસ્માત કરનાર શાહ કલ્પેશ સુમંતીલાલ (ઉ.વ.52, રહે. ચિન્મય એપાર્ટમેન્ટ, આનંદ મહેલ રોડ, અડાજણ)ની અટકાયત કરી હતી.

ઉચ્છલ નવી કાચલી ગામે બાઇક ચાલકે પગપાળા જતાં આધેડને અડફેટે લેતાં ગંભીર
વ્યારા: ઉચ્છલ તાલુકાના કરોડ ગામે નવાગામ ફળિયામાં રહેતા ગોવિંદ મુકામજી વળવી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં.GJ-26-S-0429 પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો. તે વેળાએ તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ સાંજે ૭ વાગ્યાના અરસામાં નવી કાચલી ગામની સીમમાંથી પસાર થતો હતો ત્યારે નારણપુરથી કરોડ જતા સતિષ મોજુ વળવીના ખેતરની પાસે રોડ ઉપર ચાલતા જતા આધેડને પાછળથી ટક્કર મારી દીધી હતી.

આ અકસ્માતમાં ચાલતા જતાં નરેશભાઇ ગોપજીભાઇ વળવી (ઉ.વ.૫૦) (હાલ ૨હે. A-૧૦૦૨ તાપી શ્રીગણેશ સોસયટી રેસીડન્સી ગણેશપુરા, અમરોલી, સુરત)(મુળ રહે. નવી કાચલી, નિશાળ ફળીયુ તા.ઉચ્છલ જિ.તાપી)ને પાછળથી જોરથી મો.સા. અથડાવી દીધી હતી. જેમાં આધેડને માંથાનાં પાછળનાં ભાગે, મોંઢાનાં ભાગે ઇજા પહોંચી હતી.

Most Popular

To Top