National

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદમાં ઉંદર રખડતા દેખાયા, વીડિયો વાયરલ થતાં ટ્રસ્ટની મોટી કાર્યવાહી

મુંબઈઃ તિરુપતિ બાલાજીમાં લાડુ વિવાદ બાદ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંદિરના પ્રસાદ પર ઉંદરો રખડતા જોવા મળ્યા હતા. ઘણા પેકેટોનો ઉંદરો દ્વારા નાશ કરાયો હતો. વીડિયો વાયરલ થયા બાદ લોકો હવે સિદ્ધિવિનાયકના પ્રસાદની શુદ્ધતા પર સવાલો ઉઠાવી રહ્યા છે.

વાયરલ થયેલા વિડિયોમાં પ્રસાદના પેકેટ પર નાના ઉંદરોના બચ્ચા જોવા મળ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો સિદ્ધિવિનાયક મંદિરનો છે. જ્યારે પ્રસાદની ગુણવત્તાને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ વાતો થવા લાગી ત્યારે આખરે મંદિરે સ્પષ્ટતા માટે આગળ આવવું પડ્યું હતું.

એવી અપેક્ષા હતી કે મંદિર ટ્રસ્ટ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે. પરંતુ હાલમાં મોટી અપડેટ એ છે કે મંદિર ટ્રસ્ટે પણ આ મામલે તપાસની માંગ કરી છે. પોલીસ પણ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરશે. ટ્રસ્ટે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સિદ્ધિવિનાયક મંદિરમાં આવું ન થઈ શકે. અહીં પ્રસાદ ખૂબ જ ચોકસાઈથી બનાવવામાં આવે છે.

દેશનું સૌથી પ્રખ્યાત ગણેશ મંદિર
મંદિરના લાડુમાં વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબી અને માછલીનું તેલ મળી આવ્યા બાદ અનેક મંદિરોના પ્રસાદની તપાસ શરૂ થઈ હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર દેશભરના સૌથી પ્રખ્યાત ગણેશ મંદિરોમાંનું એક છે. ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે દરરોજ લાખો ભક્તો અહીં પહોંચે છે. સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધી મુંબઈમાં આવેલા આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા છે. અહીં દરરોજ ઘણા સેલેબ્સ પણ જોવા મળે છે.

Most Popular

To Top