National

માતા-પિતાથી અલગ જયપુરમાં રહેતી બે બહેનોએ પીએમ મોદીને લખેલો ઈમોશનલ લેટર થયો વાયરલ

જયપુર(Jaipur): જયપુરની દિલ્હી પબ્લીક સ્કૂલમાં (Delhi Public School) ભણતી બે સગી બહેનોએ (Sisters) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PMModi) એક ઈમોશનલ લેટર (Letter) લખ્યો છે. માતા-પિતાથી દૂર રહેતી આ બહેનોએ પોતાના માતા-પિતા પાસે રહી શકે તે માટે વડાપ્રધાનને અનોખી રિક્વેસ્ટ કરી છે. આ લેટર ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વડાપ્રધાનને જયપુરમાં કાકા-કાકીના ઘરે રહેતી અને દિલ્હી પબ્લીક સ્કૂલમાં ધો. 7માં અભ્યાસ કરતી 12 વર્ષીય બે બહેનો અર્ચિતા અને અર્ચનાએ વડાપ્રધાનને પત્ર લખી પોતાના સરકારી કર્મચારી માતા-પિતાની જયપુરમાં ટ્રાન્સફર (Transfer) કરવા રિક્વેસ્ટ લેટર લખ્યો છે. બંને બહેનો તેમના માતા-પિતા સાથે રહીને અભ્યાસ કરવા માંગે છે, જેના માટે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

બંને બહેનોએ પત્રમાં શું લખ્યું છે?
પત્રમાં બહેનોએ લખ્યું છે કે માનનીય વડાપ્રધાન મોદીજી, મારું નામ અર્ચિતા છે અને મારી બહેનનું નામ અર્ચના છે. અમે બંને 12 વર્ષના છીએ. અમે બંને દિલ્હી પબ્લિક સ્કૂલ, બાંદિકૂઈમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ છીએ. અમે બંને અમારા કાકા અને કાકી સાથે રહીએ છીએ. અમારા પિતાનું નામ શ્રી દેવપાલ મીના અને માતાનું નામ શ્રીમતી હેમલતા કુમારી મીના છે. અમારા પિતા પંચાયત સમિતિ ચૌહાણમાં આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર તરીકે કામ કરે છે. અને અમારી માતા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, દેવડા બ્લોક, સમદડી (બાલોત્રા) માં શિક્ષક (લેવલ-2, વિષય- હિન્દી) તરીકે કામ કરે છે.

પત્રમાં વધુમાં લખ્યું હતું કે અમે બંને બહેનો અમારા માતા-પિતાને ખૂબ જ યાદ કરીએ છીએ અને અમને તેમના વિના ભણવાનું પણ મન થતું નથી. અમે બંને ઈચ્છીએ છીએ કે અમારા માતા-પિતા જયપુરમાં ટ્રાન્સફર થાય. અને અમે પણ અમારા માતા-પિતા સાથે જયપુરમાં રહીને ત્યાં અભ્યાસ કરવા માંગીએ છીએ.

અમે તમારા ઘણા અભિયાનો સાંભળ્યા અને જોયા છે જેમ કે બેટી બચાવો, બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે. અને અમને તેમની પાસેથી ઘણી પ્રેરણા મળી છે. આપણે પણ આપણા માતા-પિતા સાથે રહેવાનું છે અને તેમને ગૌરવ અપાવવું જોઈએ. કૃપા કરીને અમારા માતા-પિતાને જગતપુરા, જયપુરમાં સ્થાનાંતરિત કરો . અમે તમારા અત્યંત આભારી રહીશું. પત્ર બાદ બંને બહેનોએ તેમનો આભાર માનતા તેમના નામ પણ લખ્યા છે.

ચિત્ર દોરી સ્થિતિ સમજાવવા પ્રયાસ કર્યો
છોકરીઓ ઈચ્છે છે કે તેમના પિતાની બદલી જયપુર કરવામાં આવે જેથી તેમનો આખો પરિવાર સાથે રહી શકે. આ પત્ર પીએમ મોદી સુધી પહોંચ્યો છે કે નહીં તેની હજુ સુધી કોઈ માહિતી નથી. પત્રની સાથે બંને બહેનોએ તેમના માતા-પિતાના ચિત્રો દોર્યા છે, જેમાં એ પણ લખવામાં આવ્યું છે કે તેઓ તેમના માતા-પિતાથી કેટલા કિલોમીટર દૂર છે. તસવીર મુજબ પિતા ચૌહતાનમાં રહે છે અને માતા તેનાથી 130 કિલોમીટર દૂર સમદારીમાં રહે છે. બંને દીકરીઓ તેમનાથી 646 કિલોમીટર દૂર જયપુરમાં રહે છે.

Most Popular

To Top