Gujarat

વડોદરા મનપામાં 6 સાથે રાજ્યમાં કોરોનાના નવા 20 કેસ

રાજ્યમાં રવિવારે કોરોનાના કેસો 31થી ઘટીને હવે 20 સુધી આવી ગયા છે. જો કે સાવધાની પણ એટલી જ જરૂરી છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. જ્યારે સારવાર દરમ્યાન રાજ્યમાં 23 દર્દીઓને રજા અપાઈ છે.
ગાંધીનગરમાં રવિવારે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાના નવા 20 કેસો પૈકી વડોદરા મનપામાં 6, સુરત મનપામાં 4, વલસાડમાં 3, અમદાવાદ જિ.માં 2, અમદાવાદ મનપામાં 2, જુનાગઢમાં 2, ભાવનગર મનપામાં 1 એમ કુલ 20 કેસો નોંધાયા છે. હાલમાં રાજ્યમાં 205 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 201 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજ્યમાં આ સાથે કોરોનાના કુલ કેસો 8,26, 577 સુધી પહોંચી ગયા છે. 816283 જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે રાજ્યમાં 10089 દર્દીઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.

રાજ્યમાં રવિવારે વધુ 94,555 લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉમરના 4122 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉંમરના 20827 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 12780 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 56414 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7,07,00,976 લોકોને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top