Gujarat

વલસાડમાં 5 સાથે રાજ્યમાં કોરોનાના વધુ 18 કેસ

રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 5 કેસ નોંધાયા છે. બીજી બાજુ કોરોનાના 26 દર્દીઓ સાજા થયા છે. આમ સાજા થવાનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે.

રાજ્યમાં મંગળવારે વલસાડમાં 5, નવસારીમાં 4, રાજકોટ મનપામાં 3, અમદાવાદ મનપામાં 2, સુરત મનપામાં 2, જામનગર મનપામાં 1, જૂનાગઢ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે. તો વળી, રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા છેલ્લા બે દિવસમાં ઘટીને 185 થઈ છે. જેમાંથી 05 વેન્ટિલેટર પર જ્યારે 180 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં મંગળવારે 04 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 872ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 10,558 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 33,830ને બીજો ડોઝ તેમજ 18-45 વર્ષ સુધીના 30,299 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 84,752ને બીજો ડોઝ મળી આજે કુલ 1,60,315 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,73,51,741 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top