World

ઈરાનમાં વિરોધ પ્રદર્શનને રોકવા માટે 1200 વિદ્યાર્થીઓને જમવામાં અપાયું હતું ઝેર!

ઈરાન: ઈરાન (Iran)માં હિજાબ (Hijab)ના વિરોધ (Controversy)માં સરકાર (Government)ને ઘૂંટણિયે પડી જવું પડ્યું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કાયદામાં શું ફેરફાર કરવામાં આવશે. ઈરાની સરકારે ચોક્કસપણે નૈતિકતા પોલીસને વિખેરી નાખી છે. હવે ઈરાન નેશનલ સ્ટુડન્ટ યુનિયને દાવો કર્યો છે કે ઓછામાં ઓછા 1200 વિદ્યાર્થીઓને ઝેરી ખોરાક ખવડાવવામાં આવ્યો છે. તેઓ કહે છે કે સરકાર સામે વિરોધ પ્રદર્શન એક દિવસ પછી જ થવાનું હતું. આ પહેલા સેંકડો વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગથી આખા શરીરમાં દુખાવો થયો હતો. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ બેહોશ પણ થઈ ગયા હતા.

જાણી જોઈને ખાવામાં ઝેર આપવામાં આવ્યું: વિદ્યાર્થીઓ
આરોગ્યના કારણોને ટાંકીને, ખારાઝમી અને આર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કાફેટેરિયામાં ખાવાનું બંધ કરી દીધું છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ પાણીજન્ય બેક્ટેરિયાની ફરિયાદ કરી છે. સાથે જ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને જાણી જોઈને ખાવામાં ઝેર આપવામાં આવ્યું છે. એક ગ્રુપે ટેલિગ્રામ પર લખ્યું છે કે, અમને પહેલા પણ આવો જ અનુભવ થયો છે. ઇસ્ફહાન યુનિવર્સિટીમાં પણ આવી જ રીતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ઝેર આપવામાં આવ્યું હતું. ખારાજમી અને અરક યુનિવર્સિટી સહિત અન્ય ચાર સંસ્થાઓના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીઓમાં પીરસવામાં આવતા ભોજનનો બહિષ્કાર કર્યો હતો અને તેને રસ્તા પર ફેંકી દીધો હતો. નેશનલ સ્ટુડન્ટ યુનિયને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇફહાન યુનિવર્સિટીમાં પણ આવી જ ઘટનાઓ બની હતી, જ્યાં મોટા પાયે બાળકોને ફૂડ પોઇઝનિંગ યુક્ત ખોરાક આપવામાં આવ્યો હતો. પરંતુ વહીવટીતંત્રે ફૂડ પોઈઝનિંગનું કારણ બેક્ટેરિયાને જણાવ્યું છે.

યુનિવર્સિટીના ક્લિનિક્સ બંધ હતા
યુનિવર્સિટીના કેટલાક ક્લિનિક્સ બંધ હતા, જ્યારે જે ક્લિનિક્સ ખુલ્લા હતા તેમાં ડિહાઇડ્રેશન અને અન્ય કેટલાક રોગોની દવાઓ નહોતી. વિદ્યાર્થીઓએ ઈરાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન અને હડતાળનું આયોજન કર્યું હતું અને તે પહેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનાથી માત્ર ઈરાનમાં જ નહીં પરંતુ ઈરાનની બહાર પણ ત્યાંની ઈસ્લામિક સરકાર વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં 22 વર્ષીય મહસા અમીનીના મૃત્યુથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો. જુદા જુદા આંકડાઓ અનુસાર, આ આંદોલનને કારણે ઈરાનમાં ઓછામાં ઓછા 450 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Most Popular

To Top