Gujarat

મ્યુકરમાઈકોસિસ થવાની બીકે અમદાવાદમાં વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો

અમદાવાદમાં પાલડીમાં અમન એપાર્ટમેન્ટમાં નિરંજનભાઈ શાહ (ઉ.વ. 80) એકલા રહેતા હતા. તેમના પુત્રો મુંબઈમાં રહે છે. બે દિવસ પહેલા મ્યુકરમાઈકોસિસના ડરથી નિરંજનભાઈએ ધાબા પર જઈને ઝેરી દવા પી લીધી હતી. જેના પગલે પાડોશી ભેગા થઈ ગયા હતા. એટલું જ નહીં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલસી સૂત્રોએ કહ્યું હતું કે નીરંજનભાઈને ચાર માસ પહેલા કોરોના થઈ ગયો હતો એટલું જ નહીં તેમને ડાયાબીટીસ પણ હતો એટલે મ્યુકરમાઈકોસિસ થઈ જવાની બીકે તેમણે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top