Vadodara

વડોદરાના રાજમહેલના જંગલમાં બપોરના સમયે આગ ફાટી નીકળી

  • ઝાડી ઝાંખરામાં આગ લાગ્યા બાદ અંદર સુધી પ્રસરી 
  • ફાયર વિભાગની ટીમે તાબડતોબ આવી આગ ઉપર કાબુ મેળવ્યો 

વડોદરા શહેરના કાશી વિશ્વનાથ મંદિરની સામે આવેલા રાજમહેલના જંગલમાં મંગળવારે અચાનક આગ ફાટી નીકળી હતી. રોડ પાસેના ઝાડી ઝાંખરામાં લાગેલી આગ અંદર સુધી પ્રસરી હતી. જો કે ફાયર વિભાગે આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. 

ઉનાળાની ધીમી ગતિએ શરૂઆત થઇ રહી છે. ઉનાળા દરમિયાન સામાન્ય રીતે આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળે છે. ત્યારે મંગળવારે બપોરના અરસામાં શહેરના કાશી વિશ્વનાથ મંદિરની સામે આવેલા રાજમહેલના જંગલમાં આગ લાગી હતી. લાલબાગ બ્રિજ પાસે રોડને અડીને આવેલા ઝાડી ઝાંખરામાં આગ લાગ્યા બાદ આ આગ અંદર સુધી પ્રસરી ગઈ હતી. રોડ ઉપરથી પસાર થતા જાગૃત નાગરિકે આ અંગેની જાણ ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને બે ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હાલમાં કેટલાય વૃક્ષો પરથી પણ ખરી પડ્યા છે જે નીચે પડતા સૂકા થઇ જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે ફાયર વિભાગે સમયસર આવી આગ ઉપર કાબુ મેળવતા સહુએ હાશકારો લીધો હતો. 

Most Popular

To Top