ડભોઇ: શિક્ષણ બોર્ડ ધ્વારા લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનુ આજરોજ પરીણામ જાહેર થતા રાજ્ય શિક્ષણ બોર્ડનું પરીણામ 83.08 ટકા,વડોદરા જીલ્લાનુ પરીણામ-76.65 ટકા જ્યારે ડભોઇ કેન્દ્રનુ પરીણામ 63.76 ટકા આવ્યુ હતું.
ડભોઇ કેન્દ્ર મા ધોરણ -10 બોર્ડના પરીણામ મુજબ ડભોઇ કેન્દ્રમા નવપદ હાઈસ્કૂલની વિધાર્થિની પંડ્યા નિષ્ઠા મૌલિન કુમાર 99.77 PR સાથે પ્રથમ નંબરે પાસ થઈ છે. જ્યારે કેન્દ્રમા બીજા નંબરે ચીમનભાઈ પટેલ વિદ્યાસંકુલની શાહ રાજવી ધર્મેશભાઈ 99.69 PR સાથે બીજા નંબરે જ્યારે ત્રીજા નંબરે મહેદવીયા સાર્વજનિક હાઈસ્કૂલની મનસુરી અસફરા એમ.n99.64 PR સાથે તેમજ દયારામ કેળવણી મંડળનો રોહિત વિરલ જયપ્રકાશ પણ 99.64 પર્સેન્ટાઇલ રેન્ક સાથે પાસ થતા ત્રીજા નંબરે રહ્યો હતો.
નોબલ પબ્લિક સ્કૂલ નું ગુજરાતી માધ્યમ 98.57 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમ 94.74 ટકા આવ્યું હતું.વિશ્વ ભારતી વિદ્યાલય નું પરીણામ 82.76 ટકા અને ચીમનભાઈ પટેલ વિદ્યાસંકુલ નું 77.77 ટકા પરીણામ આવ્યું હતું.જ્યારે નવપદ હાઈસ્કૂલ નું પરીણામ 67.35 ટકા અને મહેદવીયા હાઇસ્કુલ નુ 60.63 ટકા આવ્યું છે.જ્યારે દયારામ હાઇસ્કુલ નુ પરીણામ 37.69 ટકા આવ્યુ હતું.
વિશ્વ ભારતીય વિધાલય નુ વિજ્ઞાન પ્રવાહ 61.29 જ્યારે સામાન્ય પ્રવાહ 74 ટકા પરીણામ આવ્યુ છે.આર.જી.પંડ્યા હાઇસ્કુલ નુ 29.68 ટકા સાથે નીચું પરિણામ આવ્યુ હતું.આમ ડભોઇ ની શાળાઓમા આતુરતા થી રાહ જોયા બાદ ધોરણ 10 બોર્ડ નુ પરીણામ આવતા વિદ્યાર્થીઓમા કહી ખુશી કહી ગમ નું વાતાવરણ જોવા મળ્યુ હતુ.
