દાહોદ :
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ગામેથી એક ૧૫ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી એક યુવક લગ્નની લાલચે અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ગત તા.૧૭મી એપ્રિલના રોજ ગરબાડાના ગાંગરડાના કાચલા ફળિયામાં રહેતો નવલભાઈ અનસિંગ ડામોરે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————————
