Sports

ICC ટેસ્ટ રેન્કિંગમાં યશસ્વીએ લીધી મોટી છલાંગ, રોહિત-જાડેજા-અશ્વિનને પણ મળ્યો ફાયદો

નવી દિલ્હી: યશસ્વી જયસ્વાલે (Yashaswi Jaiswal) ભારત (India) અને ઈંગ્લેન્ડ (England) વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની (Test match) શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે વિરોધી ટીમ સામે સતત બે ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી છે. હવે તેમને આ સદીનો ફાયદો થયો છે.

ICCએ આજે બુધવારે નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી. જેમાં યશસ્વી જયસ્વાલે લાંબી છલાંગ લગાવીને 15મું સ્થાન હાંસલ કર્યું હતું. દરમિયાન રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને પણ જોરદાર ફાયદો મેળવ્યો હોય તેમ જોવા મળ્યુ છે. આ સિવાય ઈંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટને પણ મોટો ફાયદો થયો છે.

યશસ્વી જયસ્વાલે લાંબી છલાંગ લગાવી
ભારતીય ખેલાડીઓએ તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં હલચલ મચાવી દીધી છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં સતત બીજી વાર બેવડી સદી ફટકારનાર જસવાલે 14 પોઈન્ટની છલાંગ લગાવી છે. તે હવે 15માં સ્થાને પહોંચી ગયો છે. તેના ખાતામાં 699 પોઈન્ટ છે. આ યુવા બેટ્સમેને ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધીમાં 545 રન બનાવ્યા છે. જે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જયસ્વાલ ઉપરાંત રોહિત શર્મા 732 પોઈન્ટ સાથે 12માં સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 41માં સ્થાનેથી 34મા સ્થાને પહોંચી ગયો છે.

જાડેજા અને અશ્વિનને ફાયદો
જાડેજાએ રાજકોટ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈના આ ખેલાડીએ પ્રથમ દાવમાં 112 રન બનાવ્યા હતા. હવે તેને તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં આ રન્સનો ફાયદો મળ્યો છે. તે 595 રેટિંગ પોઈન્ટ સાથે 34મા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય સાત વિકેટ લઈને તે બોલિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે અશ્વિને બીજું સ્થાન મેળવ્યું છે. તેમજ સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ અનુક્રમે 75માં અને 100માં સ્થાને પહોંચી ગયા છે.

વિરાટ કોહલી ટોપ 10માં યથાવત છે
ICC ટેસ્ટ રેન્કિંગમાં કેન વિલિયમસન ટોપ પર યથાવત છે. તેમજ ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ શ્રેણીનો ભાગ ન હોવા છતાં વિરાટ કોહલી ટોપ 10માં સામેલ છે. તે 752 રેટિંગ પોઈન્ટ સાથે સાતમા સ્થાને યથાવત છે. ભારત સામે જોરદાર સદી ફટકારનાર બેટ્સમેન બેન ડકેટને પણ ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. તે 719 પોઈન્ટ સાથે 13મા સ્થાને પહોંચી ગયો છે.

Most Popular

To Top