Sports

વર્લ્ડ કપ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટમાં ઉથલપાથલ, આ દિગ્ગજએ અચાનક આપ્યું રાજીનામું

નવી દિલ્હી: ICC ODI વર્લ્ડ કપ 2023 (Worldcup 2023) લગભગ અડધો પુરો થઈ ગયો છે. જેમાં પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ (Crikcet) ટીમનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. દરમિયાન, ખેલાડીઓ વચ્ચે ઝઘડા અને તેમના બે કેમ્પમાં વિભાજનના અહેવાલો આવ્યા હતા, પરંતુ તરત જ પીસીબી (PCB) એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગળ આવીને આવા અહેવાલોને નકારી કાઢ્યા હતા અને તેને અટકળો ગણાવી હતી. આ દરમિયાન પૂર્વ દિગ્ગજ અને પાકિસ્તાન ક્રિકેટના પૂર્વ કેપ્ટન વર્તમાન કેપ્ટન બાબર આઝમ પર પણ સવાલો ઉઠાવી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ કપ બાદ બાબર આઝમ પાસેથી કેપ્ટન્સી લેવામાં આવી શકે છે. આ બધું હજુ ચાલુ જ હતું કે અચાનક સમાચાર આવ્યા કે ચીફ સિલેક્ટર અને પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે પીસીબી તરફથી હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ઈન્ઝમામ ઉલ હકે સોમવારે વર્લ્ડ કપ 2023 વચ્ચે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર, તેમની સામે હિતોના ટકરાવના આરોપો લગાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઈન્ઝમામે એક નિવેદનમાં કહ્યું છે કે લોકો સંશોધન કર્યા વિના બોલે છે. મારા પર પ્રશ્નો ઉભા થયા તેથી મેં નક્કી કર્યું કે હું રાજીનામું આપું તો સારું રહેશે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની ખેલાડીઓની મેનેજમેન્ટ કંપની PCB સાથે રજીસ્ટર કરવામાં આવી છે, જેમાં ઇન્ઝમામ ઉલ હક પણ ભાગીદાર હોવાનું કહેવાય છે. આ કંપની સાથે ઘણા મોટા ખેલાડીઓ જોડાયેલા છે, જેમ કે મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમના નામ સામેલ હોવાનું કહેવાય છે. આ કારણે સવાલો ઉભા થયા હતા કે મુખ્ય પસંદગીકાર એ કંપનીના ભાગીદાર છે જે ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપવામાં સામેલ છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ સમયે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. પ્રથમ તો ટીમનું પ્રદર્શન ખૂબ જ નબળું છે, દરમિયાન PCB ચીફ ઝકા અશરફે કેપ્ટન બાબર આઝમની બોર્ડના ટોચના અધિકારી સાથેની અંગત વાતચીત લીક કર્યા બાદ બોર્ડ પણ વિવાદમાં છે. ઈંઝમામ ઉલ હકની ઓગસ્ટમાં આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. ચાલુ પીસીબી દ્વારા સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમ પસંદગી પ્રક્રિયા સંબંધિત મીડિયામાં સામે આવેલા હિતોના ટકરાવના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. . કમિટી તેનો રિપોર્ટ અને કોઈપણ ભલામણો પીસીબી મેનેજમેન્ટને તાત્કાલિક સુપરત કરશે. આ પછી, ઇન્ઝમામ ઉલ હક વતી કહેવામાં આવ્યું છે કે તેઓ તપાસ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમનું કહેવું છે કે લોકો જાણ્યા વગર નિવેદનો આપી રહ્યા છે. મેં પીસીબીને તપાસ કરવા કહ્યું છે. પ્લેયર-એજન્ટ કંપની સાથે મારો કોઈ સંબંધ નથી. ઈન્ઝમામે કહ્યું કે તે આવા આરોપોથી દુખી છે.

Most Popular

To Top