Gujarat

રાજ્યના ૬ નગરોમાં પર.૭પ કરોડના પાણી પુરવઠા યોજનાને મંજૂરી અપાઈ

ગાંધીનગર: રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા શહેરીજનોને પીવાનું પાણી નિયમિતપણે પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે એક મહાનગર અને પાંચ નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. પર.૭પ કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ મહાનગરના એક ઝોન તેમજ ખંભાળિયા, ધોરાજી, ઝાલોદ, ચલાલા અને માણસા નગરપાલિકાના વિવિધ પાણી પુરવઠાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ નગરોમાં હાલની બેઇઝ ઇયર મુજબ આગામી ર૦પ૧-પર ના વર્ષની અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને આ યોજનાઓ માટેની શહેરી વિકાસ વિભાગે રજુ કરેલી દરખાસ્તોને અનુમતિ આપી છે.

તદ્દઅનુસાર, જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોન-૩ માં પાણી પુરવઠાના કામો માટે રૂ. ર૦.૮પ કરોડ, ખંભાળીયા નગરપાલિકા માટે રૂ. ૭.રર કરોડ, ધોરાજી માટે રૂ. ર.૮૦ કરોડ, ઝાલોદ નગરપાલિકાને રૂ. ૧૪.૧૬ કરોડ, ચલાલા નગરપાલિકા માટે રૂ. ૩.૪૦ કરોડ અને માણસા નગરપાલિકા માટે રૂ. ૪.૩ર કરોડના કામો માટે મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યપ્રધાને આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે હવે જૂનાગઢ મહાનગર ઉપરાંત પાંચ નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો અન્વયે રાઇઝિંગ મેઇન, ગ્રેવિટી મેઇન, વિતરણ વ્યવસ્થા, વોટર સંપ, પંપ હાઉસ, પમ્પીંગ મશીનરી, ભૂગર્ભ સંપના કામો તેમજ નવા વિસ્તારો માટે વિતરણ વ્યવસ્થા અને સ્ટોરેજ કામોનું આયોજન હાથ ધરાશે.

Most Popular

To Top