Entertainment

વરૂણ ધવન અને નતાશાના લગ્ન સાદગીપૂર્ણ રહેશે, આ કારણે લેવાયો નિર્ણય

મુંબઇ (Mumbai): બોલીવુડનો હોટ બેચલર વરૂણ ધવન (Varun Dhawan) હવે વધુ લાંબો સમય સિંગલ નહીં રહે. થોડા દિવસો પહેલા વરૂણના લગ્નના સમાચાર આવ્યા હતા એ તો તમે બધા જાણતા જ હશો. ડેવિડ ધવનનો નાનો પુત્ર અને બોલીવુડનો નવો કુલી નંબર-1 હવે 24 જાન્યુઆરીએ પોતાની લોંગ ટાઇમ ગર્લ-ફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) સાથે લગ્નગ્રંથિમાં જોડાવાનો છે.

હવે કોરોનાકાળમાં લગ્ન છે એટલે વધુ લોકોને બાલવી શકાશે નહીં. એવામાં સમાચાર આવ્યા છે કે વરૂણના લગ્નમાં મોટા પાયે સંગીત જેવા કાર્યક્રમો નહીં થાય. ખબર મળી છે કે આમ તો વરૂણ અને તેનો પરિવાર એક મોટાપાયાના લગ્ન વિશે વિચારી રહ્યુ હતુ, પણ તે શક્ય નથી. અને તેમનું માનવું છે કે નાના પાયે ઓછા લોકોની હાજરીમાં આવા કાર્યક્રમો કરવાની મજા નહીં આવે. એટલે હાલ ફક્ત લગ્નની વિધિ કરીને વરૂણ પાતોની જીવન સંગીનીને ઘરે લાવશે. કહેવાઇ રહ્યુ છે કે એક વખત કોરોનાકાળ વિતી જાય પછી વરૂણનો પરિવાર પરિસ્થિતિ સામાન્ય થતાં જ એક મોટા પાયે કાર્યક્રમ યોજશે.

આજકાલ ડેસ્ટિનેશન વેડિંગનો ખાસ્સો ટ્રેન્ડ ચાલ્યો છે. પણ વરૂણના લગ્ન તો મુંબઇના અલીબાગમાં જ થવાના છે. જાણવા મળ્યુ છે કે આ લગ્ન એક અત્યંત સાદગીભર્યા હશે. લગ્નમાં ફક્ત 50-55 લોકો જ હશે, જે તમામ ઘરના સભ્યો હશે. હકીકતમાં વરૂણ મે મહિનામાં જ લગ્ન કરાવોન હતો પણ તે શક્ય બન્યું નહીં. બીજી બાજુ એવી પણ વાતો છે કે આ ફક્ત એક વિધિ હશે 23મી તારીખે કોર્ટ મેરેજ થઇ જવાની છે. સૌથી મોટી વાત તો એ છે કે વરૂણ પોતે આ લગ્ન માટે કોઇ ખાસ બ્રેક નથી લેવાનો. તેણે પોતે પોતાનું શૂટિંગ શિડ્યુલ વ્યસ્ત રાખ્યુ છે.

અભિનેતા વરૂણ ધવનના કાકા અભિનેતા અનિલ ધવને વરૂણના લગ્ન વિશે કહ્યુ છે કે, ‘વરુણ 24 જાન્યુઆરીએ લગ્ન કરશે. લગ્નમાં અમે ફક્ત ઘરના જ લોકો હશું. અમારો પરિવાર શો ઑફમાં નથી માનતો એટલે સાદગીભર્યા લગ્ન હશે. અમારી વહુ હવે વ્હેલી તકે ઘરે આવે એ જ અમારો હેતુ છે. કોરોના પતે પછી કદાચ કોઇ ફંકશન કરવાનું વિચારીશું. મારી વાત કરૂં તો હું પોતે 24ના લગ્નમાં હાજરી આપીને બીજે દિવસે મારા એક શૂટ માટે બહારગામ રવાના થઇ જઇશ.’.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top