National

યુપીમાં રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ દિવસ: લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો જાહેર

યુપી: આજનો દિવસ યુપીમાં (UP) રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજે ઘણાં રાજ્યોમાં યોજાયેલી લોકસભા (Lok Sabha) અને વિધાનસભા (Legislative Assembly) પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રાજીનામા બાદ ખાલી પડેલી સંગરુર લોકસભા સીટની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગુરમેલ સિંહ હારી ગયા છે. અકાલી દળ (અમૃતસર)ના સિમરનજી સિંહ માન આ હાઈપ્રોફાઈલ સીટ પર 5822 વોટના માર્જીનથી જીત્યા છે. રામપુરમાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ સપાના ઉમેદવાર અસીમ રાજાને 42,048 મતોથી હરાવ્યા હતા. રામપુરમાં જીત બાદ ઘનશ્યામ લોધીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રામપુર હવે આઝમ ખાનનો ગઢ નથી. રામપુરમાં કમળ ખીલ્યું છે. આ ભાજપના કાર્યકરોની જીત છે. અમને મુસ્લિમ મતદારોએ પણ મતદાન કર્યું હતું. 

  • યુપીની રામપુર લોકસભા પેટાચૂંટણીમાં ભાજપના ઘનશ્યામ સિંહ લોધીનો વિજય થયો છે.
  • પંજાબમાં સંગરુર લોકસભા પેટાચૂંટણીમાં અકાલી દળના સિમરનજીત સિંહ માનની જીત થઈ છે. 
  • દિલ્હીની રાજેન્દ્ર નગર વિધાનસભા પેટાચૂંટણીમાં AAPના દુર્ગેશ પાઠકનો વિજય થયો છે. 
  • ત્રિપુરામાં સીએમ માણિક સાહા બોરદોવલી વિધાનસભા સીટ પરથી જીત્યા છે. 
  • ત્રિપુરામાં જુબરાજનગર બેઠક પરથી પણ ભાજપનો વિજય થયો છે. 
  • અગરતલાથી કોંગ્રેસના સુદીપ રોય બર્મન જીત્યા છે. 

દિલ્હીના રાજેન્દ્ર નગરથી જીતેલા AAPના દુર્ગેશ પાઠકે કહ્યું કે આ સીએમ કેજરીવાલની જીત છે. AAP દ્વારા કરવામાં આવેલા કામની આ જીત છે. ભાજપનો અહીં કોઈ એજન્ડા નહોતો, તે પહેલા દિવસે ચૂંટણી હારી ગઈ હતી. તેઓ આગામી નગરપાલિકાની ચૂંટણી સહિત અહીંની દરેક ચૂંટણી હારી જશે. 

પંજાબમાં શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના સિમરનજીત સિંહ માનનું કહેવું છે કે તેઓ સંગરુર લોકસભા પેટાચૂંટણી જીતી ગયા છે. તેમણે કહ્યું કે આ અમારી પાર્ટીની મોટી જીત છે. અમે આ પેટાચૂંટણીમાં તમામ રાષ્ટ્રીય પક્ષોને હરાવ્યા છે. મારી પ્રાથમિકતા સંગરુરની નબળી આર્થિક સ્થિતિ સહિત દેવાથી દબાયેલા ખેડૂતોની સ્થિતિનો મુદ્દો ઉઠાવવાની રહેશે. અમે પંજાબ સરકાર સાથે મળીને કામ કરીશું.

સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ
આ ઉપરાંત ત્રિપુરાની 4, દિલ્હી, ઝારખંડ અને આંધ્રપ્રદેશની એક-એક વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. પેટાચૂંટણી માટે 23 જૂને મતદાન થયું હતું. તમને જણાવી દઈએ કે આ વર્ષે વિધાનસભા ચૂંટણી બાદ લોકસભાની ત્રણેય બેઠકો ખાલી પડી હતી. યુપીના આઝમગઢથી અખિલેશ યાદવ અને રામપુર સીટથી આઝમ ખાને વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. એ જ રીતે પંજાબની સંગરુર સીટથી સાંસદ રહેલા ભગવંત માનએ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સીટ છોડી દીધી હતી.

  • પેટાચૂંટણી માટે 23 જૂને મતદાન થયું હતું
  • આ વર્ષે વિધાનસભા ચૂંટણી બાદ લોકસભાની ત્રણેય બેઠકો ખાલી પડી હતી
  • આઝમગઢમાં મતગણતરી શરૂ થતા પહેલા સપા ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવે મોટો આરોપ લગાવ્યો
  • રામપુરથી સપાના ઉમેદવાર અસીમ રઝાએ કહ્યું કે મને વિશ્વાસ છે કે અમે ચૂંટણી જીતીશું
  • યુપીની રામપુર, આઝમગઢ અને પંજાબની સંગરુર લોકસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આઝમગઢમાં મતગણતરી શરૂ થતા પહેલા સપા ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવે મોટો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે મને અંદર જવા દેવામાં આવી નથી. મતગણતરી કેન્દ્રની અંદર ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. આ સામે આઝમગઢના એસએસપી અનુરાગ આર્યએ જણાવ્યું કે અહીં મતગણતરી યોગ્ય રીતે થઈ રહી છે. કોઈ અથડામણ કે ઝપાઝપી નથી થઈ રહી, માત્ર થોડી મૂંઝવણ હતી, જેનો ઉકેલ આવી ગયો છે. તે જ સમયે એડીએમ અનિલ કુમાર મિશ્રાએ કહ્યું કે કોઈ ઉમેદવારને રોકવામાં નથી આવી રહ્યા. માત્ર પાસ કાર્ડ જરૂરી છે. એસપી એજન્ટો પહેલેથી અંદર છે, તેથી ઈવીએમ પર સવાલ ઉઠાવવાનો કોઈ અર્થ નથી. કાર્ય નિષ્પક્ષતાથી થશે. આ સાથે રામપુરથી સપાના ઉમેદવાર અસીમ રઝાએ કહ્યું કે મને વિશ્વાસ છે કે અમે ચૂંટણી જીતીશું.

Most Popular

To Top