Entertainment

FIR પછી રોશનભાભીની અસિત મોદીને ધમકી: ‘મારી માફી માગો, મારી પાસે ઘણા પુરાવા છે જે… ‘

મુંબઈ: ટીવી શો (TV Show) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) આ દિવસોમાં પોતાના એપિસોડ અને સ્ટોરી ટ્રેકના કારણે નહિં પરંતું કોંટ્રોવર્સીના કારણે ચર્ચામાં છે. TMKOCમાં રોશન ભાભીનું પાત્ર ભજવનાર જેનિફર બંસીવાલ અને પ્રોડ્યુસર અસિત મોદી વચ્ચે ચાલી રહેલા વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. અસિત મોદી વિરુદ્ધ મુંબઈ પોલીસે કેસ નોંધ્યો હતો. જો કે હાલ તેમની ધરપકડ કરવામાં આવી નથી. ત્યારે હવે જેનિફર બંસીવાલે અસિત મોદીને ધમકી આપી છે તે માફી માંગે.

24 મેનાં રોજ તારક મહેતા શોમાં મિસીસ સોઢીનું પાત્ર ભજવતી જેનિફર બંસીવાલે અસિત મોદી, ક્રૂ મેમ્બર સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડક્શન હેડ જતિન બજાજ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધવ્યો હતો. ત્રણેય સામે IPCની કલમ 354 અને 509 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જેનિફરે આ વચ્ચે અસિત મોદીને ધમકી આપી છે કે અસિત તેની માફી માંગે છે તો તેને કોઈ સમસ્યા નથી. અભિનેત્રીએ કહ્યું કે તેની પાસે અસિત વિરુદ્ધ બીજા ઘણા પુરાવા છે જે તે પોલીસને આપશે.

અસિતે પોતાના બચાવ માટે આ પહેલા ​​​​​નોટિસમાં કહ્યું હતું કે તેમણે ક્યારેય તેમની અને અન્ય કોઈની વચ્ચે ભેદભાવ કર્યો નથી, સમગ્ર કાસ્ટ તેમના માટે પરિવાર સમાન છે. તેઓ ક્રૂ અને કલાકારોના પિતા હતા. આ ઉપરાંત આસિતે તારક મહેતાની ટીમ દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણી અને યૌન શોષણના આરોપોને પણ નકારી કાઢ્યા હતા.

આ મામલાને શાંતિથી થાળે પાડવા માગું છું: જેનિફર બંસીવાલ
એક ઈન્ટરવ્યુ દરમ્યાન જેનિફરે કહ્યું હતું કે તે આ મામલાને શાંતિથી થાળે પાડવા માગે છે. તે આ મામલાને લાંબુ ખેંચવા માગતી નથી. તેણે કહ્યું મને આશા છે કે તેઓ જલ્દીથી મારી વાતને સમજશે અને મારી માફી માગશે. આ તમામ મુદ્દાઓનો જલ્દીથી નીવેળો આવશે. જેનિફરે કહ્યું કે જો તેઓ મારી માફી માગે છે અને પોતાની ભૂલને સ્વીકારે છે તો મને કોઈ વાંધો નથી. તેણે કહ્યું હુંએ જેટલા પણ આરોપ લગાવ્યા હતા તે તમામના મારી પાો પૂરાવા છે જેને હું સમય આવશે ત્યારે કોર્ટમાં રજૂ કરીશ.

Most Popular

To Top