Entertainment

“તારક મહેતા…” શોમાં દયાભાભી ફરી દેખાશે, અસિત મોદીએ કરી જાહેરાત

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) શોને 15 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ અવસર પર શો સાથે જોડાયેલા તમામ કલાકારોએ દર્શકો (Spectators) તરફથી તેમને જે પ્રેમ મળ્યો છે તે બદલ તેમનો આભાર માન્યો હતો. આ શોમાં દર્શકો છેલ્લાં 6 વર્ષથી દયા ભાભીને (Daya bhabhi) મીસ કરી રહ્યાં છે. દયાભાભી વગર ગોકુલધામ અને જેઠાલાલ પણ અધૂરા લાગી રહ્યાં છે. ત્યારે હવે શોને 15 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં શોના મેકર્સે ખુલાસો કર્યો છે કે દયાભાભી શોમાં (Show) વાપસી કરશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને 15 વર્ષ પૂર્ણ થતાં શોનાં પ્રોડ્યુસર અસિત મોદીએ એક ખાસ એલાન કરતા કહ્યું હતું કે એક કલાકાર જેને આપણે કોઈ ન ભૂલી શક્યું એ દિશા વાકાણી એટલે કે દયાભાભી નજીકના દિવસોમાં તમને હસાવા આવી રહ્યાં છે. તેમણે કહ્યું દયાભાભી ન તો માત્ર દર્શકો પણ શોમાં પણ દરેક કલાકાર અને મેકર્સોને ખૂબ હસાવ્યાં છે. શોને 15 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં તમામ કલાકારોને તેમણે અભિનંદન પણ પાઠવ્યાં હતા. દયાભાભીના કમબેકની અટકળો વચ્ચે હવે તેમના કમબેકના આ ઓફિશયલ ન્યૂઝ સામે આવતા ચાહકોમાં પણ ખુશીનો પાર રહ્યો નથી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણીની વાપસી પર નિર્માતાઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવે તે પહેલાં જ, શોની એક વીડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ હતી. તાજેતરના એપિસોડમાં જેઠાલાલ અને સુંદરલાલનો એક સીન બતાવવામાં આવ્યો હતો, જેમાં જેઠાલાલ સુંદરલાલને પૂછી રહ્યા હતા કે તેમની પત્ની દયા ભાભી ક્યારે પાછા આવશે? જવાબમાં સુંદરલાલ કહે છે કે દયા ભાભી આ દિવાળી કે નવરાત્રિ સુધી પાછા આવવાના છે.

દયાભાભી એટલે કે દિશા વાકાણીએ પોતાની પહેલી પ્રેગનેન્સીમાં લીવ લીધી હતી. ત્યાર પછીથી તેઓ પરત ફર્યા નથી. તેઓ પોતાનો સમય તેનાં બાળકોને આપી રહી છે. ત્યારે આ વચ્ચે દયાભાભીની વાપસીએ ચાહકોમાં પણ એકસાઈટમેન્ટ જગાવ્યું છે.

Most Popular

To Top