Charchapatra

આ સત્યાગ્રહ નથી, રાહુલગાંધીનો હઠાગ્રહ છે

મોહનદાસ કરમચંદ ગાંધીજીનો સત્યાગ્રહ કહેવાય જ્યારે રાહુલ રાજીવગાંધીનો હઠાગ્રહ કહેવાય. સત્યાગ્રહની કોંગ્રેસ રાજકિય પાર્ટીથી અલગ એક જનઆંદોલન હતું જ્યારે રાહુલની કોંગ્રેસ પાર્ટી કોર્પોરેટ કંપની બની બેઠી છે જે નહેરૂ-ગાંધી પરિવારની આર્થિક કૌભાંડો કરતી કંપની બની બેઠી છે. સ્વતંત્રતા બાદ મોહનદાસ કરમચંદ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી વિખેરી નાંખવાની અપીલ કરેલી જે આજે પણ યોગ્ય લાગે છે, જનાધાર ઘટતો જાય છે.ગાંધીજીના સત્યાગ્રહથી દેશને આઝાદી મળી છે જે રાહુલ ગાંધીના હઠાગ્રહથી દેશને બરબાદી સિવાય કશું જ મળવાનું નથી. આર્થિક કૌભાંડો ઢાંકવાના પ્રયાસો શું સફળ થશે ? હઠાગ્રહથી મોદીને ટાર્ગેટ કરવાનો ટૂંકો રસ્તો યોગ્ય નથી જ !  
અમદાવાદ         – અરૂણ વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top