Entertainment

લોકપ્રિય સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ બે દિવસ માટે બંધ

મુંબઈ: ટીવીની લોકપ્રિય ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું (Taarak Mehta Ka Ooltah Chashmah) શૂટિંગ (shooting) બે દિવસ માટે બંધ (Closed) કરી દેવામાં આવ્યું છે. કારણ છે મુંબઈનો (Mumbai) વરસાદ (Rain). સૂત્રોનું કહેવું છે કે વરસાદને કારણે આખો સેટ પાણીથી ભરાઈ ગયો છે, જેમાં શૂટિંગ કરવૂં શક્ય નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે એટલે કે 2 જુલાઈએ શૂટિંગ બંધ કરવું પડી શકે છે. જોકે, શોના મેકર્સે આ અંગે હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

આ શો 14 વર્ષ સુધી સફળ રહ્યો
શો વિશે વાત કરીએ તો, તે અત્યાર સુધીનો સૌથી લાંબો ઓન-એર શો છે. આ શોમાં જેઠાલાલ અને દયાબેનની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. બંનેની તોફાની ટીખળોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા અને તેમનું મનોરંજન પણ કર્યું હતું. જોકે ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું, પરંતુ તેની ટીઆરપીમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. સફળતાપૂર્વક શો ચલાવતો રહ્યો છે.

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે નવી દયાબેન શોમાં જોવા મળવાની છે. આ પાત્ર માટે રાખી વિઝનને ફાઈનલ કરવામાં આવી છે. રાખી આ પહેલા ‘હમ પાંચ’માં જોવા મળી છે. આ ઉપરાંત નવા નટુ કાકાની એન્ટ્રી પણ થવાની છે. આ પાત્રમાં કિરણ ભટ્ટ જોવા મળશે.

છેલ્લા કેટલા વર્ષોથી દયાબેન, નેહા મહેતા, નિધિ ભાનુશાલી, ગુરચરણ સિંહ અને ભવ્ય ગાંધીએ શો છોડી દીધો છે. દરેકનું કારણ અલગ હતું. હાલમાં જ શૈલેષ લોઢાએ પણ આ શોને અલવિદા કહી દીધું હતું. હા, એ જ શૈલેષ લોઢા જે શોમાં તારક મહેતા તરીકે જોવા મળ્યો હતો. વાસ્તવમાં, તેના નિર્માતાઓ સાથે થોડો અણબનાવ હતો, જેના કારણે તેણે વધુ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી માન્યું. શૈલેષ લગભગ 14 વર્ષ સુધી ટીમનો ભાગ હતો. હવે તે પોતાનો શો લઈને આવી રહ્યો છે, જેનું નામ છે ‘વાહ ભાઈ વાહ’.

નેહા મહેતા અને ગુરચરણ સિંહની વાત કરીએ તો તેમનો કેસ પેમેન્ટ પર અટવાયેલો છે. બંને કહે છે કે તેઓએ શોને અલવિદા કહ્યું કારણ કે તેમનો પગાર નિર્માતાઓ સાથે અટવાયેલો છે. આનું સમાધાન થયું નથી. જોકે, નીલા ફિલ્મ્સ પ્રોડક્શને નેહા મહેતા અને શૈલેષ લોઢાની આ વાતોને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટા આરોપો છે.

Most Popular

To Top