Gujarat

સુરતમાં રામનગર, નવસારીના શહિદ ચોક અને વાપીમાં ઝંડા ચોક ખાતે પાંચ રૂપિયામાં શ્રમિકોને ભોજન મળશે

ગાંધીનગર : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના વધુ પાંચ જિલ્લાઓમાં વિવિધ કડિયા નાકા પર તા. ૨૭ જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં માત્ર રૂપિયા 5ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે.

તા. ૨૭ જાન્યુઆરીના રોજ રામનગર કડિયાનાકા-સુરત, તા. ૨૮ જાન્યુઆરીના રોજ રૈયા ચોક કડિયાનાકા-રાજકોટ, તા. ૨૯ જાન્યુઆરીના રોજ ઝંડા ચોક કડિયાનાકા-વાપી, તા. ૨૯ જાન્યુઆરીના રોજ શહીદ ચોક કડિયાનાકા-નવસારી તેમજ તા. 30 જાન્યુઆરીના રોજ મહેસાણાના પરા ટાવર કડિયાનાકા ખાતે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે, જેથી મોટા પ્રમાણમાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.

Most Popular

To Top