SURAT

બાગેશ્વરધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના વિડીયો પર ઇન્સ્ટાગ્રામમાં ટિપ્પણી મૂકાતાં બબાલ

સુરત: (Surat) હાલમાં દેશમાં ખૂબ જાણીતા બનેલા એવા બાગેશ્વરધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shasrti) ઇન્સ્ટા પર મૂકવામાં આવેલા વિડીયો (Video) ઉપર અભદ્ર ટિપ્પણી થતાં આ મામલે સિંગણપોર પોલીસ (Police) દ્વારા એટ્રોસિટીની (Atrocity) ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  • બાગેશ્વરધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિડીયો ઇન્સ્ટા પર મૂકતાં ગાળગલોચ થતાં એટ્રોસિટીનો ગુનો દાખલ
  • ગોપાલ ગોહિલે ફરિયાદી સાથે ટેલિફોનીક વાત કરી હતી, તેમને ફોન પર ગાળો આપી હતી

આ મામલે કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર ગોપાલભાઇ રાજુભાઇ ગોહિલ (રહે., પાલીતાણા, જિ.ભાવનગર) દ્વારા અમીત બાબરિયાના ઇન્સ્ટા પર ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે ટિપ્પણી કરવા માટે જણાવ્યું હતું. ગોપાલ ગોહિલે ફરિયાદી સાથે ટેલિફોનીક વાત કરી હતી. તેમને ફોન પર ગાળો આપી હતી. આ ઉપરાંત ફરિયાદી સાથે જાતિવિષયક ગાળો આપી તેમને મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે ટેલિફોન પર સતત ધમકી આપતાં સિંગણપોર પોલીસ દ્વારા એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સગીરા સાથે દુષ્કર્મ કરી સળગાવી મારી નાખવાનો પ્રયાસ કરનાર યુપીનો આરોપી ઝડપાયો
સુરત : ઉત્તરપ્રદેશમાં રહેતી સગીરાને લગ્નની લાલચે સુરત ભગાવી લાવનાર નરાધમે સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં સગીરાએ વતન જવાની જીદ કરતા સળગાવી મારી નાખવા પ્રયાસ કર્યો હતો. સગીરા બચી જતા નવી સિવિલમાં દાખલ કરાવી નાસી ગયો હતો. બાદમાં તે ભાનમાં આવતા તેણે વતન માતા પિતાનો સંપર્ક કરી વતન જતી રહી હતી. અને ત્યાં પોલીસને ઘટનાની જાણ કરતા યુપી પોલીસે સુરત આવી એસઓજીની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો.

ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના જયસિંહપુર પોલીસ સ્ટેશનમાં ગત 2 ફેબ્રુઆરીએ સગીર વયની પુત્રીનુ તેના ગામના રહેવાસી આરોપીએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ઉત્તરપ્રદેશ પોલીસ તે સગીરાની તપાસ કરતી હતી. દરમ્યાન તેમને જાણવા મળ્યું કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીએ સગીરાને સુરત કિમ ખાતે લાવી તેની ઉપર બળાત્કાર ગુજારીને તેને મારી નાંખવાના ઇરાદે તેની ઉપર ડીઝલ નાંખી સળગાવી નાંખી હતી. પરંતુ સગીરા બચી જતા આરોપીએ ભોગ બનનારને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી નાસી ગયો હતો. આરોપીને પકડવા માટે ઉત્તરપ્રદેશ પોલીસ ટીમ સુરત શહેર ખાતે આવી હતી. આરોપીને પકડવા સુરત એસઓજીની ટીમ તેમની મદદ કરી હતી. અને એસઓજીએ બાતમીના આધારે સગરામપુરા તલાવડી વિસ્તારમાંથી આરોપી મહાવીર ઉર્ફે વીરે છેદીલાલ નિષાદ (રહે. નરોલી ગામ ઝુપડપટ્ટી કીમ જિ.સુરત મુળ રહે. ગામ બહરી થાના જયસિંહપુર જિ સુલતાનપુર ઉ.પ્ર.) ને પકડી પાડ્યો હતો.

આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેના ગામમાં તેની પાડોશમાં રહેતી છોકરીને લગ્ન કરવાની લાલચ આપી 17 જાન્યુઆરીએ યુ.પી.થી ભગાવી લાવ્યો હતો. કીમ ખાતે આવેલા એક મકાનમાં રાખી હતી. ત્યારબાદ છોકરી પરત પોતાના વતન જવા માંગતી હતી પરંતુ પોતે તેને મોકલવા માંગતો નહોતો. જેથી તેને છોકરી ઉપર બળાત્કાર ગુજારી દસેક દિવસ પહેલા છોકરી પરત પોતાના વતન જવા જીદ કરતા તેણે ગુસ્સામાં આવી તે છોકરીને મારી નાંખવાના ઇરાદે તેની ઉપર ડીઝલ છાંટી સળગાવી હતી. પરંતુ તે બચી જતા બેભાન હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી અને ત્યાં ડોક્ટરોને આ છોકરી રસોઈ બનાવતા દાઝી ગયાની ખોટી હકીકત કહીને નાસી ગયો હતો. બાદમાં છોકરી ભાનમાં આવી તેના માતા-પિતાને વતનથી બોલાવી તેની સાથે વતન ગઈ અને ત્યાં તેણીએ આ હર્કીકત જણાવતા પોલીસે આરોપીને સુરત આવી પકડી પાડ્યો હતો.

Most Popular

To Top