Sports

સનરાઇઝર્સ સામે શનિવારે સતત બીજી મેચ જીતવા દિલ્હી કેપિટલ્સે બેટીંગમાં સુધારો કરવો પડશે

નવી દિલ્હી: આઇપીએલ 2023માં (IPL 2023) સતત પાંચ મેચ હાર્યા પછી છેલ્લી બે મેચમાં જીત મેળવનારી દિલ્હી કેપિટલ્સની (DC) ટીમ આવતીકાલે શનિવારે જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે મેદાને ઉતરશે ત્યારે તેમની સામે સતત બીજી મેચ જીતવા માટે તેમણે પોતાની બેટીંગમા સુધારો કરવો પડશે. છેલ્લી બંને મેચ દિલ્હી કેપિટલ્સ પોતાના બોલરોના જોરે જીતી છે, ત્યારે હવે બેટ્સમેનો એ જવાબદારી ઉઠાવે એવી દિલ્હી કેપિટલ્સ આશા રાખતું હશે.

દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ સામેની છેલ્લી મેચમાં 62 રનમાં 5 વિકેટ ગુમાવી હતી અને તે પછી અક્ષર પટેલ તેમજ મનિષ પાંડે ટીમને 128 રન સુધી લઇ ગયા હતા અને તે પછીનું કામ બોલરોએ પુરૂ કર્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદની ચિંતા પણ બેટીંગ જ છે. હેરી બ્રુક એકમાત્ર સદી ફટકાર્યા પછી સતત સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી અને અભિષેક શર્મા પણ સાતત્યપૂર્ણ રહ્યા નથી.

Most Popular

To Top