Vadodara

પાણીપુરી વેચતા યુવાનની હત્યા, ગંધારાની સીમમાંથી લાશ મળી

વડોદરા, તા.૨૯વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાતલમાં યુવાનની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી જઇને તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન પાણીપુરીનો ધંધો કરતો હોવાનું બહાર આવ્યું હતું.

કરજણ તાલુકાના કંડારી ગામમાં રહેતો અને મૂળ યુ.પી.નો વતની જ્ઞાનસિંઘ પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે રાબેતા મુજબ તે લારી લઈને પાણીપુરી વેચવા ઘરેથી નીકળ્યો હતો. મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આરંભી પરંતુ કોઇ પત્તો મળ્યો ન હતો.

ગુરુવારે સવારે ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી એક લાશ પડી હોવાની માહિતી કરજણ પોલીસને થઇ હતી. આ સાથે જ્ઞાનસિંગની શોધખોળ ચલાવી રહેલા પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાશ જ્ઞાનસિંઘની હોવાનું અને તેની હત્યા થઇ હોવાનું પોલીસને જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top