National

દિલ્હીમાં ખેડૂતોની હિંસા બાદ લાલ કિલ્લો મુલાકાતીઓ માટે પણ બંધ કરાવી દેવામાં આવ્યો

NEW DELHI : દિલ્હી આવતા પ્રવાસીઓએ લાલ કિલ્લો (RED FORT) જોવાનું મન લઈને જ પરત ફરવું પડશે. ખેડુતોની ઉપદ્રવ બાદ દિલ્હીનો લાલ કિલ્લો સામાન્ય લોકો (PUBLIC) અને પ્રવાસીઓ (TOURIST) માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે એક નિર્દેશ 27 જાન્યુઆરીએ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા જારી કરવામાં આવ્યો છે. લાલ કિલા 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. જોકે, એએસઆઇ સ્ટાફ અને પોલીસ સુરક્ષા (POLICE PROTECTION) પહેલાની જેમ જ ત્યાં રહેશે.

લાલ કિલ્લાની સંભાળ રાખનારા ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગના ડીજીની મંજૂરી બાદ ડિરેક્ટર (સંગ્રહાલય) અરવિન મંજુલે આ સૂચના આપી છે. આ સમયગાળા દરમિયાન, પ્રાચીન સ્મારકનો નિયમ નંબર -5 પણ ટાંકવામાં આવ્યો છે. તેથી, 31 જાન્યુઆરી સુધી કોઈ સામાન્ય માણસોને લાલ કિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં

પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી કાઢનારા ખેડૂતો દિલ્હીના લાલ કિલ્લામાં ઘૂસીને ધ્વજ ફરકાવ્યો હતો. આ સાથે જ લાલ કિલ્લામાં ટ્રેકટરો સાથે તોડફોડ કરવામાં આવી હતી. સ્મારકને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. રેલીમાં થયેલા નુકસાન બાદ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ પણ લાલ કિલ્લાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અત્યારે તેની રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.

પ્રજાસત્તાક દિનના દિવસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 2 દિવસથી હિંસાના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે. કેટલીકવાર ખેડૂતો પોલીસની કથિત તોડફોડના વીડિયો બહાર પાડતા હોય છે, તો કેટલીક વખત દિલ્હી પોલીસ ખેડૂતોના ઉત્પાત અંગેના અને નિયમોનું ઉલ્લંઘન કેવી રીતે કરવામાં આવી હોવાનો દાવો કરે છે તે વીડિયો રજૂ કરી રહી છે.

ગુરુવારે, દિલ્હી પોલીસે લાલ કિલ્લામાં થયેલી હિંસાનો એક વીડિયો જાહેર કર્યો. 35 સેકન્ડના આ વીડિયોમાં જોઇ શકાય છે કે વિરોધીઓએ કેવી રીતે બસને તોડફોડ કરી હતી. વિરોધ પક્ષના એક જૂથે બસના કાચ તોડી નાખ્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે ખેડૂતોએ લાકડી, દંડાઓ અને પત્થરોથી બસની તોડફોડ કરી હતી.લાલ કિલ્લાની સાથે સાથે ખેડૂતોએ રાજકીય સંપતિ અને જાહેર જગ્યાઓ પર પણ ભારે નુકશાન કર્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top