National

સંદેશખાલી મહિલા અત્યાચાર મુદ્દે પીએમ મોદીએ કોલકત્તામાં મમતા સરકાર પર કર્યા આકરાં પ્રહાર

કોલકાતા(Kolkata): પશ્ચિમ બંગાળના (West Bengal) સંદેશખાલીમાં (SandeshKhali) મહિલાઓની કથિત ઉત્પીડનના મામલાને લઈને સમગ્ર બંગાળમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન સંદેશખાલીના પીડિતો પૈકી 5 પીડિતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PMModi) મળ્યા હતા. વાસ્તવમાં પીએમ મોદી એક રેલીને સંબોધવા માટે પશ્ચિમ બંગાળના બારાસત પહોંચ્યા હતા. આ વિસ્તાર સંદેશખાલી પાસે છે. અહીં સંદેશખાલીની મહિલાઓ પણ પીએમ મોદીને મળવા આવી હતી, જેમાંથી પીએમ મોદી 5 મહિલાઓને મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં સંદેશખાલીનો મુદ્દો ઉઠાવ્યો અને પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર (TMC) પર જોરદાર પ્રહાર કર્યા હતા. રેલીને સંબોધિત વખતે પીએમ મોદીએ ટીએમસી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મમતા સરકારમાં દીકરીઓ સુરક્ષિત નથી. સંદેશખાલીમાં જે ઘટના બની તેનાથી દેશ શરમમાં મુકાઈ ગયો છે. પરંતુ ત્યાર બાદ પણ ટીએમસી સરકાર બંગાળની મહિલાઓના ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તે વધારે શરમજનક છે.

પરિવારવાદ પર પણ જોરદાર પ્રહાર કર્યો
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘વિપક્ષ જાણવા માંગે છે કે મારો પરિવાર ક્યાં છે. આ આત્યંતિક કુટુંબવાદીઓએ અહીં આવવું જોઈએ અને જોવું જોઈએ. આ મોદીનો પરિવાર છે. મોદીની દરેક ક્ષણ આ પરિવાર અને દેશની માતૃશક્તિને સમર્પિત છે. જ્યારે મોદીને કોઈપણ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે આ માતાઓ અને બહેનો રક્ષણાત્મક કવચ બનીને ઊભી રહે છે. આજે દરેક દેશવાસી પોતાને મોદીનો પરિવાર ગણાવી રહ્યો છે. આજે દેશનો દરેક ગરીબ, દરેક ખેડૂત, દરેક યુવા, દરેક બહેન અને દીકરી કહી રહ્યા છે કે હું મોદીનો પરિવાર છું.

ભાજપ સરકારમાં કોલકાતા મેટ્રોનો વિકાસ
પીએમ મોદીએ કહ્યું કે કોલકાતા એક એવું શહેર છે જેમાં મેટ્રો જોઈને ઘણી પેઢીઓ મોટી થઈ છે. જ્યારે અહીં મેટ્રો શરૂ થઈ ત્યારે પહેલા 40 વર્ષમાં કોલકાતા મેટ્રોનો માત્ર 28 કિમીનો કોરિડોર બનાવવામાં આવ્યો હતો. જ્યારે ભાજપ સરકારના છેલ્લા 10 વર્ષમાં કોલકાતા મેટ્રોને 31 કિલોમીટર સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, ‘કેટલાક લોકો એવું વિચારી શકે છે કે કોઈ રાજનેતાએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે અને હું દરેકને મારો પરિવાર કહું છું, પરંતુ હું સાચું કહું છું. મેં બહુ નાની ઉંમરે ઘર છોડ્યું અને થેલો લઈને નીકળી પડ્યો. દેશના ખૂણે ખૂણે ભટકતો રહ્યો અને કંઈકને કંઈક શોધતો રહ્યો. મારા ખિસ્સામાં ક્યારેય એક પૈસો નહોતો. પરંતુ દેશવાસીઓને જાણીને ગર્વ થશે કે કેટલાક પરિવાર મને પૂછતા હતા કે મારા ભાઈ કે દીકરાએ ખાવાનું ખાધું છે કે નહીં. આખું વર્ષ ખભા પર બેગ લઈને ફરતો રહ્યો. મારા ખિસ્સામાં એક પૈસો પણ બચ્યો નથી, પરંતુ હું એક દિવસ પણ ભૂખ્યો નથી રહ્યો અને તેથી જ કહું છું, આ મારો પરિવાર છે. 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. જ્યારે મારી કોઈ ઓળખ ન હતી

Most Popular

To Top