નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) ભીવાડીથી પાકિસ્તાન (Pakistan) પહોંચેલી અંજુ (Anju) આ મહિનાના અંતમાં એટલે કે ઓક્ટોબર સુધીમાં ભારત (India) પરત ફરી રહી...
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગાઝાની (Gaza) અલ અહલી હોસ્પિટલ (Hospital) પર થયેલા હુમલા (Attack) પર શોક વ્યક્ત કર્યો છે....
નવી દિલ્હી: બુધવારે કેન્દ્રીય કર્મચારીઓ (Employee) માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને નરેન્દ્ર મોદી...
નવી દિલ્હી: એલોન મસ્કે(Elon Musk) સોશિયલ મીડિયા(Social Media) પ્લેટફોર્મ ટ્વિટરને(Twittwer) ખરીદ્યા પછી ઘણા ફેરફારો(Changes) કર્યા છે. ટૂંક સમયમાં આ પ્લેટફોર્મ(Platform) પરના તમામ...
સુરત: દિવાળી ટાણે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેંટ મળી છે. સુરતથી સૌરાષ્ટ્રના અમરેલી વચ્ચે રો રો ફેરી સર્વિસ શરૂ કરવાની મંજૂરી અપાઈ...
સુરત: સુરતમાંથી આત્મહત્યાનો એક બનાવ સામે આવ્યો છે. સુરત ઉમરવાડામાં(Surat Umarvada) એક પરિણીત મહિલાએ(Married woman) પાડોશી મહિલાની વીભત્સ ગાળોથી(Abusive words) માનસિક તણાવમાં(Depression)...
સુરત (Surat) : શહેરના પુણા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટમાં મારામારીના દ્રશ્યોનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરદાર માર્કેટમાં બે જૂથ...
સોજિત્રા : ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. દ્વારા પીપળાવ દૂધ ઉત્પાદક મંડળીના સભાસદોને રોજેરોજ દૂધના નાણા મળી રહે તે માટે...
આણંદ: આણંદ જિલ્લામાં પેન્શનરોને આ વર્ષે વિવિધ બેંકોની બેદરકારીને કારણે પેન્શન અટકી ગયું હોવાની બાબત ઉજાગર થવા પામી છે. હવે પેન્શનરોને જીલ્લા...
બોરસદ : આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ અને ફુડ વિભાગ દ્વારા આંકલાવ પાસેથી 519 કિલો ભેળસેળયુક્ત દૂધનો માવો પકડી પાડ્યો હતો. આ માવો...
વડોદરા: સ્વચ્છતા હી સેવા અંતર્ગત રાજ્યભરમાં આગામી બે માસ સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ રહી છે. વડોદરા જિલ્લામાં પણ અનેક લોકો સ્વચ્છતા...
સુરત: ભેસ્તાનમાં આઘાતજનક ઘટના બની છે. અહીંના એક એપાર્ટમેન્ટના લિફ્ટના કંટ્રોલ રૂમમાં કરંટ લાગતા આશાસ્પદ એન્જિનિયર યુવાનનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી...
દાહોદ: દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકાના નળવાઇ ગામનો એક સંઘ પગપાળા પાવાગઢ જવા માટે માતાજીનો રથ લઈને નીકળ્યો હતો પરંતુ રસ્તામાં અકસ્માત...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ(Israel-hamas war) વચ્ચે છેલ્લા 12 દિવસથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે, જેમાં લગભગ પાંચ હજાર લોકોના મોત(peoples Died)) થયા...
વડોદરા: તરસાલી અમીન ખડકીમાં પ્રોપર્ટીના ચક્કરમાં ભાડૂઆતે ભાણિયા સાથે મળી 67 વર્ષીય વૃદ્ધાની કરપીણા હત્યા કરાઇ હતી. જોકે પહેલા વૃ્દ્ધા પર ભાણિયો...
વડોદરા: આદ્ય શક્તિ માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનું હાલ પ્રથમ ચારણ ચાલી રહ્યું છે ત્યારે પ્રથમ ચરણમાં ખેલૈયાઓ માતાજીની આરાધનામાં લિન બન્યા...
સુરત: પાંડેસરામાં એક 10 વર્ષના બાળ કિશોર પર ચાર અજાણ્યા ઈસમોએ હુમલો કરીને 14 જેટલા ઘા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે....
અયોધ્યામાં બાબરી મસ્જિદની જમીનના ટુકડા માટે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયાં હતાં. તેવી જ રીતે જેરુસલેમમાં આવેલી ૩૫ એકર જમીન પરના...
આજકાલ ફોટોગ્રાફીમાં સેલ્ફી ખેંચવાનો શોખ જોવાય છે. બે હજાર બેની સાલમાં ઓસ્ટ્રેલિયાના તેથન હોપે પોતે ખેંચેલી પોતાની છબિ માટે સેલ્ફી શબ્દપ્રયોગ કરેલો....
રશિયા યુક્રેન યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને હવે ઇઝરાઇલ પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તથા...
અંધશ્રદ્ધાને ભણતર સાથે કોઇલેવા દેવા નથી. સામાન્ય માન્યતા છે કે ગ્રામ્ય વિસ્તારોમાં અશિક્ષિત અર્ધશિક્ષિત અને ગરીબ લોકોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ હોય છે.અભણ...
ઘરમાં ગેટ ટુ ગેધર હતું. ઘરના બધા સભ્યો, દૂરનાં સ્વજનો અને મિત્રો ભેગાં થયાં હતાં. સાઈકોલોજીના પ્રોફેસર શ્રી રામ, ઉપસ્થિત હતા. તેઓ...
પરિણામ ભલે ગમે તે હોય, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ (8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવી છે) 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં કે વિરુદ્ધના...
બાઈબલમાં ભાર દઈને કહેવાયું છે, પરમ પિતાનાં ગુણગાન ગાનાર જીભ કરતાં તેનું કામ કરનાર હાથપવિત્ર છે. આ વાત સ્વરાજની લડત સમયે ગાંધીજીએ...
અત્યારે છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લડાઇ ચાલી રહી છે અને તે સાથે જ વિશ્વભરમાં મુસ્લિમો અને...
સુરત: (Surat) ઉત્રાણ ખાતે રહેતા મસાલાના વેપારીને (Trader) સસ્તામાં હીરાનો માલ આપવાની લાલચ આપી નેપાળ (Nepal) બોલાવ્યા હતા. નેપાળના એક મકાનમાં બંધક...
સુરત: (Surat) કાપોદ્રા યોગીચોક ખાતે રહેતી પરિણીતાને તેના પતિને મિત્રએ લગ્નની (Marriage) લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ હોટલમાં (Hotel) લઈ જઈ...
ગાંધીનગર: (Gandhinagar) પીએમઓના નકલી અધિકારીઓની ગુજરાતમાંથી (Gujarat) ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે સેન્ટ્રલ એજન્સીઓ ગુજરાતમાં એલર્ટ (Alert) થઈ ગઈ છે. કેટલાંક ગઠિયાઓ...
અનાવલ: (Anaval) મહુવાના મહુવરિયા ગામે અંબિકા નદીના (River) કિનારે રાત્રિના સમયે કેટલાક ઈસમો દીવા કરી વિધિ કરતા હોય ત્યારે તાંત્રિક વિધિ કરવામાં...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે (Police) દારૂના (Alcohol) જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લાની...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) ભીવાડીથી પાકિસ્તાન (Pakistan) પહોંચેલી અંજુ (Anju) આ મહિનાના અંતમાં એટલે કે ઓક્ટોબર સુધીમાં ભારત (India) પરત ફરી રહી છે. આ માટે અંજુએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક ઇન્ટરવ્યૂમાં અંજુએ જણાવ્યું કે તે તેના બાળકો માટે આવી રહી છે. તે દરેકના તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે.
અંજુએ જણાવ્યું કે પાકિસ્તાનમાં તેના વિઝાની (Visa) મર્યાદા સમાપ્ત થઈ રહી છે. તેણે કહ્યું કે તે અલવર પરત ફર્યા બાદ તેના બાળકો સાથે વાત કરશે. તેમના તમામ પ્રશ્નોના જવાબ આપશે. તેણે કહ્યું કે તે દેશની સુરક્ષા એજન્સી અથવા પોલીસના તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે. તેણે કંઈ ખોટું કર્યું નથી. તે જે પણ કરી રહી છે, તે તેના બાળકોના સારા ભવિષ્ય માટે કરી રહી છે. તેણે વધુમાં કહ્યું કે “હું કોઈની પરવાહ કરતી નથી.” મારા માતા-પિતા અને પરિવાર દરેક ક્ષણથી વાકેફ હતા. જ્યારે હું પાકિસ્તાન પહોંચી ત્યારે સૌથી પહેલા મેં મારી બહેનને ફોન કર્યો હતો. મેં મારા પતિ સાથેનો સંબંધ તો પહેલા જ તોડી નાખ્યો છે. અરવિંદે મારી સામે ખોટો કેસ કર્યો છે. મારી પાસેના તમામ પ્રશ્નોના જવાબ છે. હું બધા પ્રશ્નનોના જવાબ આપવા માટે તૈયાર છું. બસ થોડા દિવસમાં જ હું ભારત પરત ફરવાની છું. ત્યારે સચ બધાની સામે આવી જશે.
અંજુએ કહ્યું કે તે માત્ર એક અઠવાડિયા માટે પાકિસ્તાન આવી હતી. તેણીને નસરુલ્લા સાથે લગ્ન કરવા હતા. પરંતુ તેને જાણ્યા અને સમજ્યા પછી તે આ નિર્ણય લેવાની હતી. પરંતુ તે સમયે સંજોગો એવા બન્યા કે તેણીએ નસરુલ્લા સાથે લગ્ન કરવા પડ્યા હતા. તેણીએ વિચાર્યું હતું કે તે પહેલા પાકિસ્તાન જશે. ત્યારપછી નસરુલ્લા ભારત આવીને તેના માતા-પિતાને મળશે, તે પછી તેઓ લગ્ન કરશે. પણ બધું અચાનક જ બન્યું. પાકિસ્તાન પહોંચેલી અંજુએ કહ્યું કે જો તેના બાળકો ભારતમાં રહેવા માંગે છે, તો તેઓ ભારતમાં રહેશે અને જો તેઓ પાકિસ્તાનમાં રહેવા માંગે છે, તો તે તેમની સાથે પાકિસ્તાન પરત ફરશે.
અંજુએ કહ્યું કે તેનો ઈરાદો ખોટો નહોતો. જ્યારે તે પાકિસ્તાન આવી ત્યારે તે સંપૂર્ણપણે કાયદેસર રીતે આવી હતી. તે પાછા ફરવાનું વિચાર કરીને જ આવી હતી. તેથી જ તેણીએ નોકરી છોડી ન હતી. પાકિસ્તાન આવતા પહેલા તેણે પોતાના પુત્રને પણ પ્રવેશ અપાવ્યો હતો. અંજુએ કહ્યું કે તે તેના બાળકોને ખૂબ જ યાદ કરે છે. ફક્ત તેઓ જ તેમના સંજોગો જાણે છે. તે તેના બાળકોને યાદ કરીને ઘણા દિવસો અને રાત સુધી જાગી રહી છે. ઘણી વખત તેની યાદમાં તેણે ભોજન પણ કર્યું ન હતું. પરંતુ તે આ વાત કોઈને કહી શકતી નથી. તે શું કહે છે તે સમજવા કોઈ તૈયાર નહીં થાય. અલબત્ત અંજુ ઓક્ટોબરમાં પરત ફરવાની વાત કરી રહી છે. પરંતુ આ નિવેદનમાં કેટલું સત્ય છે તે જોવું રહ્યું છે. કારણ કે આ પહેલા પણ તેણે કહ્યું હતું કે તે જલ્દી જ ભારત પરત ફરશે. પરંતુ પરત ફરી ન હતી.